SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ -- - - - -- - -- -- ગુરુ-શિષ્યનું વૃત્તાંત. ( ૨૧૯ ) mimimmmmmmmmmmmmmmmmmmmmmmmmnanna કૂળત્વને વ્યવહાર થતો અવકવામાં અને અનુભવવામાં આવે છે તેનું કારણ વાસ્તવિક રીતે આત્મામાં સ્થિત સગવ પરિણામરૂપ શેતાન છે. રાગદ્વેષ પિતાના સ્વભાવે અનંતશક્તિમય છે. રાગદ્વેષને જેમ જેમ ક્ષય થાય છે તેમ તેમ આત્મામાં ઈશ્વરીય જ્ઞાનતિને પ્રકાશ થાય છે. આત્માની સભ્ય જ્ઞાનતિને ઈશ્વરીયજ્ઞાનજ્યોતિ કથવામાં આવે છે. મુસલમાનમાં એક એવી પ્રચલિત વાત છે કે–એક વખત એક ગુરુની પાસે શિષ્ય પ્રાર્થના કરી કે હું કોનું ભજન કરું? ગુરુએ શિષ્યને કહ્યું કે તું શેતાનનું ભજન કર. ગુરુના પર વિશ્વાસ રાખીને શિષ્ય શેતાનનું ભજન પ્રારંવ્યું તેથી શેતાનને આશ્ચર્ય લાગ્યું કે આખી દુનિયા ઈશ્વરનું ભજન કરે છે અને આ શિષ્ય મારું ભજન કરે છે. શેતાન પેલા શિષ્ય પર સંતુષ્ટ થશે અને તેને પ્રત્યક્ષ થઈને કહ્યું કે-તું જે માગે તે આપું–માટે જેની ઇરછા હોય તે માગ ! શિષ્ય શેતાન પ્રસન્ન થયાનું વૃત્તાંત પિતાના ગુરુને કચ્યું. ગુરુએ શિષ્યને કચ્યું કે-તું શેતાનની પાસેથી એવું માગી લે કે તારા હદયમાંથી શેતાનને વાસ નીકળી જાય. ગુરુની શિક્ષાનુસાર શિષ્ય શેતાનનું સ્મરણ કરી બોલાવ્યા. શેતાને પ્રત્યક્ષ થઈને વર માગવાનું કહ્યું. શિષ્ય કહ્યું કે જો તું મારા ઉપર પ્રસન્ન થયે હેવ તો હાર હૃદયમાંથી નીકળી જા. શિષ્યની આ માગણ શેતાનને સારી લાગી નહીં તે પણ તેને તે પ્રમાણે કબૂલ કરવું પડયું અને શિષ્યના હદયમાંથી નીકળી ગયું તેથી શિષ્યને કાલે સર્વ પ્રત્યક્ષ દેખાવા લાગ્યાં. આ કથામાથી સાર એ લેવાને છે કે રાગદ્વેષરૂ૫ શેતાન જે આત્માના અસંખ્ય પ્રદેશમાંથી સર્વથા નીકળી જાય તે આત્મામાં કેવળજ્ઞાન અને કેવળ દર્શનનો ઉત્પાદ થાય અને તેથી સર્વ દુનિયાના સર્વ પદાર્થોના સર્વ ધર્મને જાણવામાં તથા દેખવામાં આવે. રાગદ્વેષને ધિક્કારવા માત્રથી તેઓ ટળી જતા નથી. પરંતુ આત્મ જ્ઞાન મેળવીને આત્માના સ્વભાવમાં જેઓ રમણતા કરે છે તેનાથી રાગદ્વેષ સ્વયમેવ દૂર થાય છે. રાગદ્વેષરૂપ શેતાન સર્વવિશ્વને પિતાને વશ કરવા પ્રયત્ન કરે છે. અએવ રાગ વ ક્ષય કરવાની જિજ્ઞાસાવત મુમુક્ષુઓએ શુદ્ધોપગ ધારણ કરીને જેનું ધ્યાન ધરૂવાથી રાગદ્વેષની પરિણતિ ન ઉદ્ભવે એવા પરમાત્માના શુદ્ધ સવરૂપમાં મસ્ત બનવું જોઈએ. રાગદ્વેષને જેમ મદદય થતો જાય છે તેમ તેમ આત્માનું સવાભાવિક સુખ અનુભવાય છે. વિશ્વવર્તિ મુમુક્ષુઓએ રાગદ્વેષની પરિણતિની મંદતા અને ક્ષીણત કરવા ખાત્ર લક્ષ્ય દેવું જોઈએ. જે જે ધમનુષ્ઠાન વડે રાગદ્વેષની પરિણતિને નાશ થાય છે તે અનુદાન દ્વારા ધર્મ સાધનમાં પ્રયત્નશીલ બનવું જોઈએ. કિયાગમાં પ્રવૃત્તિમય છતાં રગદેવની સામથ્રીઓથી આત્મામાં રાગદ્વેષની પરિણતિ જાગ્રત ન થાય તે પર ખાસ લક્ષ્ય દેવું જોઈએ. જ્ઞાન રોગને એ પરિપકવ અભ્યાસ કરવો જોઈએ કે જેથી અધિકાર પરત્વે કમલેગી બનતા છતાં પણ નિર્લેપદશા કાયમ રહે. રાગદ્વેષના સાધનોની સામગ્રી ન મળે એવા કથાનાદિને પ્રાપ્ત કરીને કેટલાક અર્ધદગ્ધ મનુ મનની શાતતા અમુક સમય પર્યત સંરી શકે
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy