SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુસાક્ષીએ અધ્યાત્મ અને યોગના અભ્યાસની જરૂરિયાત. (૧૭) શાસ્ત્રો વાચવા માત્રથી વાસ્તવિક અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અધ્યાત્મજ્ઞાની ચોગી સદ્ગુરુની પ્રાપ્તિ કરવી જોઈએ અને પશ્ચાત્ તેના શિષ્ય બની અધ્યાત્મશાસ્ત્રોને અનેકનની અપેક્ષાપૂર્વક પરિપૂર્ણ અભ્યાસ કરે જોઈએ તથા પશ્ચાત્ ગાભ્યાસ પૂર્વક શ્રી સદ્ગુરુના પાસાં વેઠીને અધ્યાત્મશાસ્ત્રોનાં રહસ્યોને એકાન્તમાં અનુભવ કરવો જોઈએ. અધ્યાત્મશાસ્ત્રોને અનુભવ તે ઘણુ લે અધ્યાત્મજ્ઞાનનું હૃદયમાં પરિણયન થયા પશ્ચાત્ પ્રકટે છે. અએવ અધ્યાત્મ શાસ્ત્રોનું વાચન કરીને એકદમ કઈ જાતને મત ન બાંધવો જોઈએ. અધ્યાત્મશાસ્ત્રો અને રોગશાસ્ત્રોને પરિપૂર્ણ અભ્યાસ ક્ય પશ્ચાત એગને અભ્યાસ કરી અધ્યાત્મજ્ઞાનનું પ્રત્યેક રહસ્ય સમજવા માટે એકાન્તમાં બહુ મનન કરવું જોઈએ. પૂર્વભવના આધ્યાત્મિક જ્ઞાન સરકારથી આ ભવમાં સહેજે અધ્યાત્મજ્ઞાનપ્રતિ રુચિ ઉદ્દભવે છે અને અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થાય એવા સહેજે પ્રયત્ન સેવી શકાય છે કઈ પણ ભવમાં અધ્યાત્મજ્ઞાનને અભ્યાસ કરેલ હોય છે તે આલેખે જતો નથી. તે માટે કબીરજી કહે છે કે મારી પરે જ, સાથે ખુબ તકર ના ઘર અવતરે, રત રd સત્ત. જૈનશાસ્ત્રોમાં અધ્યાત્મજ્ઞાન દ્વારા સમ્યકત્વ સંબંધી " अन्तोमुहत्तं मित्तंपि, फासिंय जेहिं हुन सम्मत्त, तेसिमबहपुग्गल परिसट्टो चेव ससारो" ઈત્યાદિ કવામાં આવ્યું છે જેને અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ તે શનૈ શનિ મોક્ષમાર્ગ પ્રતિ ગમન કરે છે અર્થાત્ ખરેખર તે ઉત્ક્રાન્તિમાર્ગમાં વહે છે અને ભવરૂપ વિસામા લેતે છો વા લીધા વિના પરમાત્મપદમાં સમાઈ જાય છે તથા છેવટ અનન્ત સુખને જોતા બને છે. ગમે તેવી સ્થિતિમાં મનુષ્ય માત્રને સુખી કરવા માટે અધ્યાત્મજ્ઞાન સમાન અન્ય કેઈ નથી. અધ્યાત્મજ્ઞાનરૂપ અમૃત રસાયન પીવાથી અનેક પ્રકારના દુખોને નાશ થાય છે અને આત્મા ફક્ત સુખ સામ્રાજ્યને જ સ્વામી થઈ રહે છે. અનાદિકાળથી માયાના સંસ્કારથી પ્રત્યેક પ્રાણનું હૃદય મલીન થઈ ગએલું હોય છે તેથી તેની અશુદ્ધતા ટાળવા માટે અધ્યાત્મજ્ઞાન સમાન અન્ય કેઈ ઉપાય નથી. ઈનિ અને મનના ઉપર વિર્ય મેળવીને તેઓને વશ કર્યા વિના આ વિશ્વમા સ્વમમા પણ સત્ય સુખને અનુભવ આવવા નથી અને તે વિના આત્મશ્રદ્ધા અને આત્મધર્મને વાસ્તવિક સત્ય રંગ લાગવાને નથી તેમજ આ વિશ્વમાં મરજીવા થઈ આત્મોન્નતિ કરી શકાતી નથી અતએવ અધ્યાત્મશાસ્ત્રો અને ચોગશાસ્ત્રોને ગુરુ પાસે અભ્યાસ કરીને તેને અનુભવ કરે જોઈએ. અધ્યાત્મજ્ઞાનના અનુભવી મનુષ્યો પ્રભુપ્રાપ્તિના દલાલો છે. અધ્યાત્મજ્ઞાનના અનુભવીઓની પાસેથી જે કંઈ મળે છે તે ખરેખરું જીવતું મળે છે અને તેમનાથી આત્મા અમર થાય છે. સર્વસંગત્યાગી એવા મુનિવરે અધ્યાત્મજ્ઞાનના અનુભવી થાય છે માટે તેઓના પાસાં વેઠી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અધ્યાત્મજ્ઞાનાનુભવી ત્યાગી યોગીઓને સમાગમ થાય ત્યારે અધ્યાત્મશાસ્ત્રોને આનુવિક ખુલા પ્રાપ્ત કરવા પ્રયત્ન કર જોઈએ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy