SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્યમની મહતા. ( ૧૨ ). છે અને તે વિશ્વમાં અન્યાયવડે દરપૂર્તિ કરવાની વૃત્તિને ભાગી બને છે. ઉદ્યમથી યુરોપ વગેરે દેશના મનુષ્ય સ્વકર્તવ્યપરાયણ થઈને વિશ્વમાં આજીવિકાના સૂત્રોના પ્રવર્તક બન્યા છે. કાળા માથાનો માનવી શું ન કરી શકે એ કહેવતનો ખ્યાલ કરીને સદા ઉદ્યમમા મચ્યા રહેવું અને સ્વફરજે જે જે કર્તવ્ય કાર્યો હોય તેઓને કરવા એજ પ્રગતિમાર્ગમા સંચરવાને મુખ્ય પાય છે વિશ્વમાં વિદ્યા કલા ક્ષાત્રકર્મ વ્યાપાર અને સેવા વગેરે કર્મોમાં ઉદ્યમીજાએ નામના મેળવી છે અને તેઓએ વિશ્વમાં ઈતિહાસના પાને પિતાના નામે અમર કર્યા છે. પશુઓ અને પંખીઓમા પણ જે ઉદ્યમી છે તે સ્વાસ્તિત્વસંરક્ષાદિ પ્રવૃત્તિને સેવતાં અને તેમા વિજ્ય પામતા જણાય છે. અમેરિકાના પ્રખ્યાત શોધક એડીસનના ઉદ્યમને ખ્યાલ કરે જોઈએ પ્રખ્યાત શોધક એડીસન એક ક્ષણમાત્ર પણ ઉદ્યમ વિના નકા ગાળતો નથી. તે સ્વીકાર્યપ્રવૃત્તિમા એટલે બધા પૂત્સાહથી મચે રહે છે કે તેની સાથે વાત કરવાને પણ અગાઉથી સમય નક્કી કરે જોઈએ. ગ્લૅડસ્ટનનું જીવનચરિત્ર વાચીને તેના ઉદ્યમને ખ્યાલ કર જોઈએ. શ્રી હરિભદ્રસૂરિ શ્રી હેમચંદ્રસૂરિ વગેરે ધર્માચાર્યોના સતત ઉદ્યમને ખ્યાલ કરે જોઈએ જેનામાં સ્વક્તવ્ય કાર્ય કરવાની શકિત હોય અને જે પૂણેત્સાહપૂર્વક ઉદ્યમ કરતો હોય તે પ્રારંભિત કાર્યોને પૂર્ણ કરી શકે એમાં કોઈ પણ આશ્ચર્ય નથી. કીટિકાઓના ઉદ્યમનો ખ્યાલ કરે. તેઓ પિતાના દરમા દાણે લઈ જાય છે તે વખતને બનાવ દે. પશ્ચાતું ખ્યાલ કરે કે ઉદ્યમની સ્વજીવનની પ્રગતિ માટે કેટલી બધી જરૂર છે. જે મનુષ્ય સ્વફરજેને અદા કરવામાં નિયમસર અનેક પ્રકારની જનાઓની સુવ્યવસ્થાઓ પુરક્સર ઉદ્યમ કરે છે તે અને વિજ્યને પ્રાપ્ત કરી શકે છે અને આળસુ મનુષ્ય આલસ્ય સેવીને અવનતિના માર્ગમા સંચરે છે. માત્ર હિ મનુગા ફારસદારિy: જાફુઈમામ શg: ત્વા નાવરીવન ઈત્યાદિ ભાવાર્થ મનન કરીને ઉદ્યમમાં પ્રવૃત્ત થવું જોઈએ. ગમે તેટલા શુભ વિચારે પ્રવર્તતા હોય પરંતુ સ્વફરજાનુસારે પ્રવૃત્તિ સેવ્યાવિના કદાપિ કાલે શુભ વિચારોની અસર ખરેખર આ વિશ્વ પર કરી શકાતી નથી જેના મનમા જલપરપોટાની પેઠે વિચારરૂપ પરપોટાઓ ઉત્પન્ન થાય છે અને ટળી જાય છે તે અલ્પવીર્ય મનુષ્ય ખરેખર ઉદ્યમ વિના આત્માનું ઉચછવન કરી શક્તા નથી અને તેમજ અન્ય મનુષ્યોનું પણ ઉચ્ચ જીવન કરી શકતો નથી. થોડું કઠું પણ ઉદ્યમ સેવી સારું કરવું એ વાક્યને લક્ષ્યમાં રાખી સદા ઉદ્યમમાં પ્રવૃત્ત થવું જોઈએ. આર્યાવર્તના મનુષ્યની પડતી દશા થઈ તેનું મુખ્ય કારણ તે એ છે કે તેઓ આળસુ બન્યા. જ્યારે મનુષ્ય આજીવિકાદિ ઉપાવડે યુક્ત થઈ સતેજ બની મ ખમા જીવન ગાળે છે ત્યારથી તે સ્વાવનતિના કમપર પોતે વહે છે અને અન્ય મનુને વહાવે છે.
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy