SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - છ પ્રકારના આવશ્યક કર્મો (૬૯) षडधावश्यककर्माणि सामायिकादिभेदतः। स्वाधिकारादिभेदेन सेव्यानि मनुजैः सदा ॥ २१ ॥ શબ્દાર્થ –ધર્માવશ્યક ચગવડે પૂર્વકૃતકર્મને નાશ થાય છે. ફલેછાત્યાગપૂર્વક ધર્માવશ્યક ક્રિયા કરવામા ત્યારે અધિકાર છે. ગૃહસ્થોએ અને સાધુઓએ સાધ્યદષ્ટિથી પ્રીતિભક્તિપ્રવેગવડે ધર્માવશ્યક કમા પ્રયત્ન કરવો જોઈએ અર્થાત્ ધર્માવશ્યક કને કરવા જોઈએ ધર્માનુષ્ઠાનકારક ગૃહસ્થ અને સાધુઓ સવરજસ અને તમે બુદ્ધિવડે ભિન્નવૃત્તિવાળા હોય છેમનુષ્યએ-સામાયિકાદિભેદત પડધા આવશ્યક કમેને સ્વાધિકારાદિભેદે સેવવા જોઈએ. વિવેચન– ધાર્મિક આવશ્યક ગવડે પૂર્વભવકૃત અનેક કર્મોને નાશ થાય છે ધર્મના પ્રાક્ષિકારક જે જે આવશ્યક ગે હોય તેઓની પ્રવૃત્તિ પ્રારંભવી જોઈએ. પ્રમાદના સ્થાનકેને પરિહાર કરીને ધમવશ્યક વેગે આદરવાથી જ્ઞાનાવરણીયાદિ કર્મની નિર્જરા થાય છે અને સંવરત્વની પ્રાપ્તિ થાય છે. ધર્માવશ્યક ચેગેનું મહત્વ અને ઉપયોગિત્વ જેટલું વર્ણવીએ તેટલું ન્યૂન અવબોધવું. ધર્માવશ્યક રોગો દ્વારા અનન્ત સુખમય મુક્તિપદ પ્રાપ્તવ્ય છે એમ આનુભવિક નિશ્ચય કરીને અન્ય સકામ ફલેચ્છાનો ત્યાગ કરીને ધર્મવશ્યક ક્રિયામાં પ્રવર્તવાનો હે આત્મન ! હાર અધિકાર અવધ ! અને આવશ્યક ધર્મકર્મોમા પ્રવૃત્તિ કર !!! મોક્ષપ્રાપ્તિ માટે ધર્માવશ્યક કર્મકરણરૂપ હારી ફરજને અદા કરવી તે હારા આત્મપુરુષાર્થ પર આધાર રાખે છે. નિર્દિષ્ટ ધર્મકર્મ સાધ્ય વાસ્તવિક ફલ જે થવાનું છે તે વિના અન્ય ફલની ઈરછાનો ત્યાગ કરો એમ લેખકની અભિપ્રાય શિલીને હૃદયમાં સર્વત્ર એવા સ્થળે એ પ્રમાણે મનુભ્યોએ અવધવી. ધમવશ્યક કર્મોને પ્રીતિભક્તિની પ્રખરભાવનાપૂર્વક કરવાં જોઈએ. જે પ્રમાણમાં જેની ભાવના છે તે તે પ્રમાણમા તેના કાર્યની સિદ્ધિ થાય છે. આવશ્યક કર્તવ્ય ધર્મકાર્યો કરવાનો પ્રસંગ કદિ ન ગુમાવે જોઈએ ધર્માવશ્યક કર્મોને કરવામા પ્રથમ પ્રીતિની જરૂર છે જ્યાસુધી જે કાર્ય કરવાનું છે તેમાં રુચિ–પ્રીતિ ઉદ્ભવી નથી ત્યાસુધી તે ધર્મકાર્યમાં આત્માના સર્વ બલપૂર્વક પ્રવૃત્તિ થઈ શકતી નથી. જેમા પ્રીતિ થાય છે તેમાં પ્રવૃત્તિ થાય છે એવું સર્વત્ર વિશ્વમાં સર્વ મનુષ્યના અનુભવવામાં આવે છે, અએવ આવશ્યક ધર્મકાર્યોમા પ્રીતિ થાય એવા ઉપાયે ગ્રહવાની આવશ્યકતા છે ધમાંવશ્યક કર્તવ્ય કર્મોની મહત્તા અને ઉપથગિતાનું દ્રવ્ય ક્ષેત્રકાલભાવે યદા સર્વનય અપેક્ષાપૂર્વક જ્ઞાન થાય છે ત્યારે ધર્માવશ્યક કાર્યો પર પ્રેમ ઉદ્દભવે છે અને પશ્ચાત તેમા શુદ્ધ પ્રીતિ પ્રગટે છે. ધર્માવશ્યક કર્મોને પ્રીતિ ભક્તિયોગે જ્ઞાનાવરણીયાદિ સર્વ કર્મથી
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy