SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - અમૃતાનુષ્ઠાન કોને કહેવાય? ( ૩ ) કરી શકાય છે. તÈતકાનુષ્ઠાનના ઉરચશુભ વિચારે ભાવના કરતાં તાલુકાના અનન્તઉત્તમ શુભ વિચારે-ભાવનાઓ વર્તે છે. જ્યારે કોઈ પણ ધાર્મિકાનુષ્ઠાનમાં ધ્યાતા ધ્યેય અને ધ્યેયની એકતા સ્થિરતા લીનતા અને તન્મયતા થઈ જાય છે અને જ્યારે અન્ય બાબતોના વિકલ્પ સંકલ્પ ટળી જાય છે તેમજ મનની સ્થિરતા તેમાં થવાથી આનન્દરસની ઝાખી પ્રકટે છે ત્યારે અમૃતાનુષ્ઠાન થયું એમ કથી શકાય છે. જે ધાર્મિકતુષ્ઠાનની પ્રવૃત્તિ કરતા આત્મા પોતાના સહજાન દગુણના ઘેનમાં રહે અને નિસંગતાને અનુભવ લહી શકે તેને સવૃત્ત|દાન કથવામાં આવે છે. જ્યારે દેવગુરુ અને ધર્મની આરાધના સેવાભક્તિ કરતા વિશદ્ધ પ્રેમે અલૌકિક રસને અનુભવ થાય છે. ભય–બેદ–ષ–અહંતા અને મમતાનું જ્યા કિચ્ચિત પણ જેર ન હોય અને અલૌકિક દિવ્ય જીવનવડે આત્મા જીવત હોય એ અનુભવ આવે ત્યારે અમૃતાનુષ્ઠાન થયું એમ અવબોધવું. આત્માના આનન્દરસની ઉત્પત્તિ ખરેખર આત્મામાં હોય છે પરંતુ તેના બાહ્યાનુકાનમા આરેપ કરીને બાહ્યાનુષ્ઠાનને પણ અનાણાજ કથવામાં આવે છે. આત્મામાં આનન્દને ઓઘ પ્રકટી શકે અને તે જાણે ત્રણ ભુવનમા ન સમાઈ શક્ત અનુભવાતું હોય એવી દશામા અમૃતાનુષ્ઠાન થયું એમ અનુભવી શકાય છે જ્યારે જે ક્રિયા કરતા એકદમ બાહ્યશાતા વેદનીયના નિમિત્તો વિના ઈન્દ્રિયેના વિષથાદિ વ્યાપારવિના એકદમ આત્મામાં આનન્દરસની ઘેન છવાઈ ગએલી લાગે ત્યારે અમૃતાનુષ્ઠાન થયું એમ અવધવું. અમૃતાનુષ્ઠાનના પરિણામ વખતે આત્માની અનન્તગુણી વિશુદ્ધતા અને ઉચ્ચતા થાય છે અમૃતાનુણાનબળે આત્માની પરમાત્મારૂપે પ્રગટ થવામાં વાર લાગતી નથી ભક્તિ-સ્તુતિ–સેવા-પૂજા-જ્ઞાન અને ધ્યાન કિયાવડે આત્માને સ્વાભાવિક ભાવ પ્રકટવાથી પુન જન્મ જરા અને મૃત્યુથી આત્માને મરવું પડતું નથી અને અનન્તદિવ્યજીવને સાદિ અનન્તમાં ભગે જીવી શકાય છે. આત્માના ઉપશમાદિભાવે અમૃતપરિણામ રસની ઝાંખી થાય છે આત્માને આનન્દરૂપ અમૃતરસને જે ક્રિયાપ્રસંગે અનુભવવામાં આવે છે તેને અમૃતાનુષ્ઠાન કથવામાં આવે છે. અમૃતાનુણાનકારકે આત્માની અમરતાને અને આત્માના સુખને અનુભવ કરી સિદ્ધસુખના અનુભવી થાય છે. એક વાર જેણે અમૃતાનુષ્ઠાનરસને અનુભવ્યું. તેણે સંસારસમુદ્રને તર્યો એમ પ્રબોધવું એક વાર જેણે અમૃતાનુષ્ઠાનરસ અનુભળે તેને અન્ય રસમા ચેન પડતુ નથી. આત્માની વાસ્તવિક જીવન્મુક્તતા અનુભવવી હોય તે અમૃતાનુષ્ઠાન રસને પ્રાપ્ત કરવાની આવશ્યકતા સ્વીકારીને પ્રયત્ન કરવાની જરૂર છે. બાહ્યાનુષ્ઠાન કરતી વખતે આત્માને અનુભવ સુખ રસ વેદી શકાય અને અતરથી નિસંગતા નિર્લેપતા અને સમતા વેદાય ત્યારે અમૃતાનુષ્ઠાન થાય છે એમ પ્રધવું. અધ્યાત્મજ્ઞાનીઓ-દેવગુરુ અને ધર્મના શુદ્ધપ્રેમથી અમૃતાનુકાન પ્રાપ્ત કરવા શક્તિમાન થાય છે દેવગુરુ અને ધર્મ પર જેમ જેમ શુદ્ધ પ્રેમ વધતો જાય છે અને આત્મજ્ઞાનને ઉચ્ચાધિકાર જેમ જેમ પ્રાપ્ત થતું જાય છે તેમ તેમ અમૃતાનુષ્ઠાનની એગ્યતામાં વૃદ્ધિ થતી જાય છે. આત્મજ્ઞાનીઓ સેવા-ભક્તિમાં પ્રેમ રસમાં લદબદ બનીને અમૃતાનુશન પ્રાપ્ત
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy