SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - આત્માને સ્વભાવ. (૫૫). છે. વિશ્વવર્તિ સર્વ મનુષ્યને ભિન્નભિન્ન સ્વાધિકાર પ્રમાણે જે ધર્મનાં અનુષ્ઠાને પ્રત્યેક મનુષ્યને અનુકૂળ ન આવતાં હોય, વાછવિકાદિ હેતુઓની સાથે જે ધર્મની આરાધના ન થઈ શકતી હોય, જે ધર્મ ભિન્નભિન્ન દેશકાલના ભિન્નભિન્ન મનુબેને આચરવામાં સંકુચિતપણું ધારણ કરતે હેય, જે ધર્મના સેવવાથી અન્ય મનુષ્યની પરતંત્રતા તળે દબાવવાનું થતું હોય અને જે ધર્મના સેવવાથી બાહ્યલોકિક આજીવિકાદિપ્રગતિના માર્ગ સાંકડા થતા હોય તો તે ધર્મ ખરેખર વિશ્વમાં સર્વ મનુષ્યનું શ્રેય તથા પ્રગતિ કરવા સમર્થ થતું નથી અને તે ધર્મ અંતે સંકેચાઈને નષ્ટતાને પામે છે. સ્વાધિકારે ધર્મના જે જે કોને સેવી શકાય અને તેનાથી વાત્મશક્તિની પ્રગતિ થાય એવું સમ્યગ અવધી વ્યક્ષેત્રકાલભાવાનુસારે ધર્મકાર્યોમા પ્રવૃત્તિ કરવી જોઈએ કેર વ્યાવહારિકધર્મષ્ટિએ અને લોકેનર નચિકધર્મદષ્ટિએ ધર્મકાર્યોની પ્રવૃત્તિના સ્વાધિકાર રહસ્ય અવધવાની અને પશ્ચાત્ જ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ કરવાની જરૂર છે. જે ધર્મથી સ્વવ્યક્તિ પરત્ર્યક્તિ કુટુંબજ્ઞાતિ–દેશ-સંઘ અને સર્વ વિશ્વજીવોનું ઉન્નતિજીવન થયા કરે છે તે તે ધર્મને દેશકાલ ભેદે આચરવાની જરૂર છે. જે ધર્મ અકીદાર વર્તુલને સંકેલી સંકીર્ણ લઘુ વર્તુલના રૂપમાં પરિણમે છે તે ધર્મમાંથી અનેક પ્રકારનાં પ્રગતિકારક શુભ તને નાશ થાય છે. ધર્મના નામે વિશ્વવર્તિમનુષ્યની સમૂહુકરણતા સંરકી શકાય છે તેજ ધર્મની જે સંકુચિત દષ્ટિ થાય છે તે સમૂડીભૂત થએલી અનેક શક્તિની પૃથક્કરણતા થતી જાય છે અને પરિણામે તે ધર્મનું વિશ્વમા નામાવશેષ રહે છે. જે ધર્મનાં તો સત્ય અને વિશ્વવ્યાપક સેવાધર્મથી રચાયેલા છે તે ધર્મ ખરેખર મનુબેનું કલ્યાણ કરવા સમર્થ થાય છે. જે ધર્મ ખરેખર સાયન્સ વિદ્યાની સાથે પિતાને બચાવ કરીને વિશ્વવર્તિસાક્ષના હદયમાં વ્યાપે છે તેને સંપૂર્ણ વિશ્વમાં પ્રચાર થાય છે. જેનાથી વિશ્વવર્તિસર્વ પર ઉપકાર થાય છે તે ધર્મને વિશ્વમાં સર્વત્ર સર્વથા સર્વદા પ્રચાર થાય છે. જે મનુષ્ય સ્વાધિકાર સન્નતિકારક ધર્મને આચરે છે તે અન્ય પ્રકારની પ્રગતિને પ્રાપ્ત કરી છેવટે પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. આત્માની શુદ્ધતા પર ધર્મનો પાયો રચાયેલ છે, જે મનુષ્ય મન વાણી અને કાયાથી આત્માના ગુણોને પરિપૂર્ણ પ્રકાશ થાય એવા ધર્મને કરે છે તે પરમાત્માની સાથે વાત્માની એકતા કરીને સિદ્ધબુદ્ધ પરમાત્મારૂપ બને છે. આત્મા સત્તાએ અજ અવિનાશી અખંડ નિર્મલ ચિદાનન્દ શુદ્ધ બુદ્ધ ત્રિગુણાતીત જ્ઞાનદર્શનચારિત્રરૂપ અનાદિ અનન્ત અનન્તધર્મરૂપ અને અરૂપી છે. આત્માને સ્વભાવ તેજ આત્માને ધર્મ છે. આત્માને ધર્મ પ્રાપ્ત કરવાને જે જે નિમિત્ત કાશે ધર્મરૂપ ગણાય છે તે બાહ્ય ધર્મ જાણ. ધર્મના નિમિત્ત કારણના અનેક ભેદ હોવાથી લોકોત્તર નિમિત્તધર્મના અનેક ભેદ પડે છે. જે મનુ ઘર્મને સેવે છે તે મનુષ્યભવના સારને પ્રાપ્ત કરે છે જે મનુષ્ય ધર્મસેવાથી વિમુખ રહે છે તેઓ આત્મન્નિતિના સવા
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy