SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - ર - - - - - - - - - - - - - (૪૯). શ્રી કમગ થાસવિવેચન. BR રજોગુણ અને તમે ગુણી મનુબેનાપર દાબ રાખી શકાય એવી દેશકાલાનુસાર પ્રવૃત્તિ પ્રત્યેક મનુષ્યથી અને મનુષ્યસમાજથી સેવી શકાય છે. અતએ સત્વગુણવૃત્તિને પ્રાપ્ત કરી દેશરક્ષા વિશ્વરક્ષા વિદ્યારક્ષા પ્રવૃદ્ધિ વ્યાપારરાદિ કાર્યો કરવામાં લોકિકષ્ટિએ પ્રવર્તવું એ વિશેષતા લોકોને હિતકર અવધવું. લૌકિકદષ્ટિએ સ્વાત્માની પ્રગતિ કરવી એ મુખ્ય વિષયને હૃદયમાં ધારણ કરી ફોધ માન માયા અને લાભના અપ્રશસ્યત્વને ટાળી પ્રશસ્યત્વને આદરી નીતિસૂત્રથી જીવન ઉચ્ચ કરવું એ ખાસ હૃદયમાં ધારવા યોગ્ય છે. રજોગુણ અને તમોગુણથી કાયિક વાચિક માનસિક અને આત્મશક્તિને પરિપૂર્ણ વિકાસ થતો નથી; અને રજોગુણ તમોગુણવૃત્તિથી અન્ય મનુષ્યની કાયિક, વાચિક, માનસિક અને આત્મશક્તિને વિકાસ કરી શકાતું નથી. રજોગુણી અને તોગુણી મનુ સત્વગુણના અનુભવને યદિ પ્રાપ્ત કરે તે નવગુણની પ્રવૃત્તિના તેઓ રાગી બની શકે, રજોગુણ અને તમોગુણ મનુ સસમાગમ અને બેધથી ગુવૃત્તિ અને તમગુણવૃત્તિને અંશે અંશે ત્યાગ કરતા કરતા સાત્વિક ગુણવૃત્તિના અન્ત અધિકારી બને છે. રજોગુણવૃત્તિ અને તમોગુણવૃત્તિને એકદમ નાશ થઈ શકતો નથી. અનાદિકાલથી કર્મના ગે રજોગુણવૃત્તિ અને તમગુણવૃત્તિને આત્માની સાથે સંબંધ થયો છે. જે મનુષ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે તે જડ અને ચેતનને ભેદ અવધે છે અને નામરૂપ મોહના ગે થતી રજોગુણ અને તમોગુણવૃત્તિને ત્યાજ્ય તરીકે જાણે તેઓને ત્યાગ કરવા પ્રયત્નશીલ થાય છે; લૌકિકજીવન પ્રગતિદષ્ટિએ રાજસિક અને તામસિક વિચારે કરવાની કંઈ પણ આવશ્યકતા અવધાતી નથી. અપ્રશસ્ય કોષ માન માયા અને લેભની વૃત્તિ જેમ જેમ ઉપશાંત થાય છે અને સ્વાધિકારે લીકિક દૃષ્ટિએ સ્વકર્તવ્યરૂપ ફરજ અદા કરવાની સાત્વિકવૃત્તિઓ ઉપગિતા અવબોધાય છે ત્યારે સુતાં ઊઠતા બેસતાં અને કોઈ પણ જાતની પ્રવૃત્તિ કરતાં આત્માનું સાધ્યબિન્દુ ખરેખર લક્ષ્ય બહાર રહેતું નથી. લૌકિક દૃષ્ટિએ જે સ્વફરજે ગૃહાવાસમા સર્વ મનુષ્યને અદા કરવાની હોય છે તેમાં પ્રવર્તતા રજોગુણ અને તમોગુણવૃત્તિને પરિહાર કરતા નિર્બલતા પ્રાપ્ત થવાની અને અન્ય રજોગુણી તમોગુણ મનુષ્યથી પરાજિત થવાની શંકા કદી કરવી નહિ. લૌકિષ્ટિએ સ્વકર્તવ્યફરજેને અદા કરવામા જે જે અંશે સાત્વિકતાને ભજવામાં આવે છે અને ગુણ તમગુણવૃત્તિને જે જે અંશે પરિહરવામા આવે છે તે તે અંશે આત્માની શક્તિની વૃદ્ધિ થાય છે અને સ્વસમાજ દેશ ધર્મ અને સંઘ વગેરેનું વાસ્તવિક શ્રેયઃ સાધી શકાય છે એમ અનુભવપૂર્વક અવબોધવાની આવશ્યક્તા છે. રજોગુણ અને તમગુણના આસેવનથી વિષ અને મોહવૃત્તિના દાસ બની શકાય છે. જે મનુષ્યો મોહવૃત્તિદ્વારા વિષચેના દાસ બનીને આત્માને પરત ત્ર કરે છે તેઓ વિશ્વમાં સ્વાતંત્ર્યનું
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy