SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ શિયાળાની કડકડતી ટાઢમાં અને ચોમાસા ઉપરાંત શિયાળા અને ઉનાળામાં આવતાં અકસ વરસાદને સામનો કરવાનો હતો. સ્થળ અને કાળની વિપરિતતાને સબળ સામનો કરવામાં આવ્યો. વાવાઝોડા અને વીજળીની મુશ્કેલી હોવા છતાં સતત આઠ માસ સુધી કામ કરતાં. આ ભગીરથ તીર્થોદ્ધારનું કાર્ય પાંચથી છ વર્ષ પૂર્ણ થયું. તેની પાછળ અનેક લેકેએ ધર્મભાવનાથી પ્રેરાઈ પરિશ્રમ કર્યો હતો અને એ પરિશ્રમ સફળ બને. કદાચ જના આવા ભવ્ય પરિશ્રમને જોઈને જ મહા કવિ ન્હાનાલાલે કહ્યું છે-- સજાવ્યા જેને રસશણગાર, લતામંડપ સમ ધર્માચાર” આમાં તીર્થપતિઓના કલામય કારીગરી વડે વીસ ગોખલા કંડારવામાં આવ્યાં. આ ઉપરાંત આને આનુષગિક દરેક કાર્યમાં કારીગરોની કલાત્મકતાની પ્રતીતિ થાય છે. અને બાંધકામ સમિતિના અથાગ પરિશ્રમ અને ઝીણી ચીવટને પરિણામે આ કાર્ય સુંદર રીતે પૂર્ણ થયું. જેની ચારે બાજુએ ઝરણાનું જળ વહી રહ્યું છે. એવું આ જળમંદિર મનભરીને નીરખ્યા જ કરીએ ! અને નીરખીને ન ધરાઈએ એવું મને હર જાણે સ્વર્ગલકનું એક રૂપકડું દેવવિમાન પહાડ ઉપર ઊતર્યું હોય એવા સુંદર પ્રાસાદના દર્શન કરવાં એને જીવનને એક અમર હ્યા છે. સદાય અંતરમાં જડાઈ જાય એવું સ્વર્ગીય એ મંદિર બન્યું. આ રીતે શ્રી સમેતશિખરજી મહાતીર્થને જીર્ણોદ્ધાર પૂરે થશે. અંજનશલાકા તથા પ્રતિષ્ઠા મહોત્સવને નિધર અને તે અંગેની તૈયારીઓ શ્રી સમેતશિખરજી મહાતીર્થને જીર્ણોદ્ધાર પૂરે થયે. પણ તે અંગે હજી એક મહત્વની કામગીરી બાકી હતી. શ્રી જલમંદિરનું કાર્ય પાયામાંથી નવેસર કરાવવામાં આવ્યું હતું. તેથી શ્રી શામળિયાજી પાર્શ્વનાથ આદિ જિનબિંબની પુનઃ પ્રતિષ્ઠા કરવાની હતી, તેમજ નવાં જિનબિંબને યથાસ્થાને પ્રતિષ્ઠિત કરવાનાં હતાં. આ કારણે સમિતિએ અંજનશલાકા તથા પ્રતિષ્ઠા મહોત્સવ કરવાનું નક્કી કર્યું અને તે માટે વિ. સં. ૨૦૧૭ ના મહા વદિ ૭ તા. ૮-૨-૬૧ બુધવારને શુભ દિવસ નિર્ધારિત કરવામાં આવ્યો. આ નિર્ધાર થયા પછી પ્રતિષ્ઠાદિ કાર્યો કરાવવા માટે આગમપ્રસ ધ્યાનસ્થ દીધું છા પૂજ્ય આચાર્ય દેવેશ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવશ્રી મણિયસાગરસૂરીશ્વરજી મહારાજને વડોદરા મુકામે વિનંતિ કરવામાં આવી. પૂ. આચાર્ય ભગવતે શાસનનું મહાન કાર્ય હાઈ એ વિનંતિને સ્વીકાર કર્યો.
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy