________________
બરાબર શાશ્વતી એળ–શૈત્રી ઓળીનું આગમન થયું. શ્રીસંઘની લાગણી સભર વિનતી આચાર્યશ્રી નકારી શકે તેવી કઈ પોઝીશન ન હતી. આનંદિત થઈ તેમણે આમંત્રણ સ્વીકાર્યું.
વીજળી ને પવન કરતા પણ ઝડપી વાયુવેગે આ સમાચાર સંઘમાં ફેલાતા ઘેર ઘેર ઉલાસના દીવા પ્રગટયા. પૂ. આચાર્યદેવશ્રી તેમના વિદ્વાન શિષ્યરત્ન પૂ. યશોવિજયજી મ, ગણિવર્યશ્રી પૂ. રાજચંદ્ર વગેરે સાથે ધામધૂમથી મોટી ટાળી નૂતન ઉપાશ્રયે પધાર્યા.
તેઓશ્રીના સ્વાગતમાં કોઈ જેન બાકી ન હતે. હૈયે હૈયુ દળાય તેવી મેદની હતી. બજારમાં ને જૈનત્તરો પણ દિમૂઢ થઈ જતા હતા કે કોઈ મહાન સંતના પગલા થઈ રહ્યા છે. પૂજ્યશ્રીની પધરામણી -મંગલાચરણ બાદ આ લેખના લેખકે–અનન્ય ગુરુભક્ત શ્રી જયંતિલાલ એમ. શાહે પૂજ્યશ્રીના ૨૦ વર્ષ પહેલાના સંઘના ઉપકાર સહ શાશ્વતી ઓળીની પદ્યમય શિલીના વ્યાખ્યાનને લાભ લેવા સૌને અપીલ કરી. - વ્યાખ્યાન વાચસ્પતિ ગુરુદેવશ્રી! યથાર્થ ગુણ ચમત્કાર સર્જાય. પરિણામ...બીજે દિવસે પ્રથમસ્ય દિને વ્યાખ્યાન સમય ૯/૦૦ પહેલા આ હેલ ભરચક થઈ ગયે. નવ પછી આવનારાને નિરાશા સાંપડી કેમકે બહાર ઉભું રહેવું પડશું. વ્યાખ્યાન બુલંદ શૈલી સહ શરૂ થયું. શાંતિનું સામ્રાજ્ય, ટાંચણી પડે તે ય ખલેલ પહોંચે! ૧૫૦૦ માણસની હાજરી છતાં નવ દિવસ સુધી શ્રીપાળ ચરિત્ર પવમય (પુસ્તક પ્રતના આધાર વગર) સંભળાવ્યું. જે સાંભળવા જૈન સંઘના પ્રકાંડજ્ઞાતા પૂ. પન્યાસશ્રી અભયસાગરજી મ. પણ પધારેલ ને સાંભળી મંત્રમુગ્ધ થયેલ. આચાર્યશ્રીની શકિતની અનુમોદના કરેલ. જે પાલીતાણાની પ્રજા માટે ચમત્કાર જ સમાન માનવું રહ્યું. બીજા દિવસથી જેનેત્તરોની સંખ્યામાં વધારે ને રસસરિતા અખલિત રીતે વહેતા પૂર્ણ શાંતિ છવાતી. કલાક પસાર થતો પણ કેવી રીતે ? કોને ખબર ? વીરવાણું બસ સાંભળ્યાં જ કરીએ.
એની પૂર્ણાહુતિને લગભગ ૧૫૦૦ માણસે બેન્ડવાજા સહ પૂજયશ્રી સાથે તલાટી-યાત્રા કરી ગિરિવિહાર આવ્યા. ત્યાં પૂજ્યશ્રીના પ્રવચન બાદ ઉજાણું (જમણવાર) પાલીતાણા શ્રીસંધના ઇતિહાસમાં
પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ થઈ જીવ પરભાવમાં જાય છે.