SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] : ૫૫ : શ્રી શત્રુંજય ૭. પછી શ્રી વિમલનાથજી ભગવાનનું દેરું છે જે સંવત ૧૬૮૮-૧૧૭૮૮) માં બંધાવાયું છે. તેમાં પાષાણની પ્રતિમા ૩ છે. ૮. વિમલનાથજીના દેરા પાસે શ્રી અજિતનાથ ભગવાનનું દેરુ છે જે સંવત ૧૬૮૮-(૧૭૮૮) માં બંધાવાયું છે. તેમાં પાષાણુની પ્રતિમા ૪ છે. ૯. આ દેરાની પાસે સુખ આગળ ચોતરા ઉપર બે દહેરીઓ છે જેમાં મૂલનાયક શ્રી પાર્શ્વનાથજી તથા શ્રી ઋષભદેવજી ભગવાન છે. આ દહેરીઓમાં પાષાણની પ્રતિમા ૮ છે. ૧૦. એ બે દહેરીને આગલા રસ્તા પર દહેરી ૧ લશ્કરવાલા વૃધ્ધિચંદ્રજીની દીકરીની બંધાવેલી છે તેમાં પાષાણની પ્રતિમા ૩, ધાતુની એકલ મૂર્તિ ૧, ધાતુના સિદ્ધચક ૧, અણ મગલિક ૧ તથા સિધ્ધચક્ર અને ચિમુખજી કરીને છે. ૧૧. એક દહેરાની ઉપલી તરફ ત્રણ શિખરનું મોટું દેરાસર છે જેમાં મુળનાયક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાન છે, ભાવનગરવાળા શેઠ કુંવરજી લાધાએ આ દહેરાસરજી સંવત ૧૮૧૫ મા બંધાવેલ છે તથા પ્રતિષ્ઠા કરાવી છે. તેમાં પાષાશુની પ્રતિમા ૧૮ તથા રૂપાનાં સિદ્ધચક ૧ છે. ૧૨. એ ભાવનગરવાળાના દહેરાસરજીની બાજુમાં નમણના પાણીનું ટાકુ છે તથા ઉત્તર તરફ દહેરી બે છે જેમાં પ્રતિમાજી પાષાણુની ૪ છે. ૧૩. ત્યારપછી દહેરાસરજી એક શિખરનું છે જેમાં કુલનાયક શ્રી ધર્મના થજીમહારાજ છે. સંવતના અઢારમા સૈકાનું આ દહેરુ છે. પાષાણુની પ્રતિમા ૪ છે. ૧૪. શ્રી ધર્મનાથજીના દેરાસરજીની પાસે ત્રણ બારણાવાળું એક મોટું દેરાસર જી છે જેમાં મૂલ નાયક શ્રી ચંદ્રપ્રભુજી ભગવાન છે. આ દહેરૂ ભંડારી એ સંવત ૧૯૮૨ માં બંધાવેલ છે. પાષાણની પ્રતિમા ૪ છે. * ૧૫. એની પાસે કેટાવાળા શા. મોતીચદ ઉત્તમચંદ-ઉગરચંદનું કહેવું છે, જેમા સુલ નાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. સ વત ૧૯૦૩ માં આ દેહરૂં બંધાવાયેલ છે. પાષાણુની પ્રતિમા ૪ છે. ૧૬. એની પાસે સુશીદાબાદવાળા જગતગેડે બંધાવેલું શિખરબંધી એક દેરાસર છે તેમાં તથા બહાર ખલામાંની મળી કુલ પ્રતિમાજી ૧૧ છે. નમણુના પાણીનું ટાંકું તેની પશ્ચિમ તરફ ઊચાણમાં છે. ૧૭. જગશેઠના દહેરાની પાછળ શ્રી જામનગરવાળાએ સંવત ૧૬૭૮ માં બંધાવેલું દેરાસર છે જેમાં સુલ નાયકજી શ્રી શાંતિનાથ ભગવાન છે. પાષાણુની પ્રતિમા ૧૦ તથા પગલાં જેડ ૩ છે. ૧૮. જામનગરવાળાની દહેરીના રસ્તા ઉપરના બારણાની ઉગમણી બાજુ દહરી છે તેની વિગત
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy