SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] : ૫૧ : [ શ્રી શત્રુંજય રામપોળ રામપળની બારીથી આદીશ્વર ભગવાનના મંદિર સુધી આખા પહાડ ઉપર સૌથી વધુ પવિત્ર અને મહત્ત્વની ટૂંક આ સ્થાને છે. આ સ્થાનને દાદાની ટૂક અથવા મેટી ટ્રક કહેવામાં આવે છે. શત્રુંજય તીર્થની યાત્રાએ આવનાર કેઈપણ યાત્રિકનું મન ભાવનાર, ચિત્ત શુદ્ધ કરનાર, આત્માને શાંત અને પવિત્ર કરનાર આ ટૂંક છે. આ રંકના ત્રણ ભાગ પાડવામાં આવેલા છે. રામપાળ, વિમળવશી અને રતનપોળ. ૧. રામપળમાં મદિર-વિમલનાથ ભગવાનનું. આ મંદિર પાંચ શિખરી છે, અને ઔરંગાબાદવાળા શેઠ મોહનલાલ વલ્લભદાસે બંધાવેલ છે. મંદિર બહુ જ ભવ્ય, રળીયામણું અને સુંદર છે. ૨. મદિર–સુમતિનાથ ભગવાનનું આ મંદિર ત્રણ શિખરવાળું છે. સુરતવાળા શેઠ દેવચંદ કલ્યાણચદે બંધાવેલું છે. આ બન્ને મંદિરે તેની રચના અને અકૃતિ માટે સુંદર છે, પણ હમણું હમણાં ત્યાં પાસે જ ડાળીઓવાળા ડાળી પાથરીને બેસતા હેવાથી યાત્રીઓને દર્શને જતાં અડચણ પડે છે. આની જોડે જ મોતીશા શેઠની દૂકની ફૂલવાડી અને કુંડ છે કુંડના પરથાબને છેડે, અથાત ટકના કિલ્લાની પાછળના ભાગમાં કુતાસદેવીને ગોખલે છે. તેની સામે બાજુએ આણંદજી કલ્યાણજીની ઓરડીઓ છે અને સાથે જ મોતીશા શેઠની ઓરડીઓ છે જેને જાળી ભરેલી છે, ત્યાંથી સામે જ સગાળ પિળના નાકે આ. કે પેઢીનું બે માળનું એક વિશાલ મકાન છે. અહીંથી આગળ વધતાં લાગે પહોળો વિશાળ ચેક આવે છે. ત્યાંથી થોડાં પગથિયાં ઊંચે ચઢી સગાળપોળ તરફ જવાય છે. અહી વચ્ચે ચોક આવે છે જેમાથી સીધો રસ્તા ઘેટીની પાળે જાય છે. જમણા હાથ તરફને રસ્તે નવ કે તરફ અને ડાબા હાથને રસ્તો સગાળ પિળ તમ્ફ જાય છે. થોડા પગથિયાં ચઢી સગાળ પોળમાં જવાય છે. અહી દરવાજામાં શેઠ આ. કે. પેઢી તરફથી ચકી બેસે છે જે ન યાત્રીઓ તથા અજેની પાસેથી લાકડી, છત્રી, મજા, જેડા આદિ તથા કેઈપણ જાતના શસ્ત્ર વિગેરે પાછી આપવાની શરતે લઈ ચે છે. અંગ્રેજો, રાજામહારાજાઓ તથા ઉચ્ચ અધિકારીઓ વિગેરે બૂટ તથા શસ્ત્ર અહીં જ ઉતારે છે.-મૂકે છે. અહીંથી આગળ વધતાં સામે જ લખાડી દેખાય છે તેમાં ઘણું + દોલાખાડીમાં ઉત્તરની ભીતિમાં નીચેને લેખ હતું. આ લેખને અધે હીરો જ ત્યાં ઉપલબ્ધ હતો પરંતુ શ્રીમાન જિનવિજયજી તે લેખની પૂર્તિરૂપ અક્ષર [ ] આવી આપી લેખ પૂરો કરેલ છે તે લેખ મહત્વ હોવાથી હું નીચે આપું છું. ॥ श्री मदहिपन्तन] वास्तव्य प्रागवाटान्वय
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy