SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય [ જૈન તીર્થોનો શાહ સાથે મિત્રી બાંધી ગુજરાતનું અને હિન્દુઓ તથા જેનેનાં ધર્મસ્થાનકે ન તેડવાનું વચન લીધું હતું. અનુક્રમે ૧ર૯૮માં મંત્રીશ્વર સ્વર્ગવાસી થયા. મંત્રીશ્વરે આબુ, ગિરનાર અને શત્રુંજયાદિ તીર્થોમાં ભવ્ય જિનમંદિર બંધાવ્યાં છે. આ ત્રણ તીર્થસ્થાને પર મદિર બંધાવવામાં ૪ કરોડ અને ૩૬ લાખ રૂપિચાને તેમણે વ્યય કર્યો હતે. એમનાં આ ધર્મકાર્યો જોઈને જ વસ્તુપાલન અને પિડમંત્રીને સંભારતાં શ્રી જિનપ્રભસૂરિજી ઉચિત જ કહે છે કે श्रीवस्तुपालापज्ञानी पीथडादि कृतानि च। वक्का पारं न यान्यत्र, धर्मस्थानानि कीर्तयन् ॥ વસ્તુપાલ પછી મહાદાનેશ્વર જગડુશાહુક સં. ૧૩૧૬ લગભગ કચ્છ ભદ્રેશ્વરથી મહાન સંઘ લઈને સિદ્ધાચલજી આવેલ તેમણે સાત દેવકુલિકાઓ કરાવી છે. આચાર્ય ९. दिग्नन्दामितषु विक्रमनृपात्मवत्सरेपु १२९८ प्रया तेषु स्वर्गमवाप वीरधवलामात्य. शुमध्यानत:। विम्ब मौलमथा भवद्विधिवशाव्यग्य मुभद्राचले, ः स्तोगनित: कदापि न नृपा शट्टा मतां प्रायश' ॥ ६२ ॥ (શત્રુ દ્વાર પ્રબ, પૃ. ૭) ૨. B, પ્રતમાં છે. . જગડુશાહ તેમનું મૂળ વતન કંથ હતું. તેમના પિતા વ્યાપાર અર્થે ભડેશ્વર આવીને વસેલા. જગડુશાહની ખ્યાતિ મહાન દાનેશ્વરી તરીકે છે. તેમણે સં. ૧૩૧૨, ૧૨, ૧૪, ૧૫માં ભારતમાં પડેલા દુષ્કાળ સમયે લાખ મણ અનાજ ભેટ આપી જગતના પાલનકાનું બિરુદ મેળવ્યું હતું. આ દુષ્કાળમાં દિલ્હીના બાદશાહ મૌજુદ્દીન, સિહના રાજ મીર, ગુર્જરેશ્વર ત્રિશલદેવ, કાશીના રાજા પ્રતાપસિંહ, ઉજૈનીના રાજા ભદનવમો વગેરે બાર રાજ્યને તેમણે અનાજનું દાન કર્યું હતું. જગડુને નિમિત્તજ્ઞ ગુરુ પાસેથી દુષ્કાળના ખબર પડી ગયા હતા જેથી તેણે લાખો મુંક અનાજ સંગ્રહ્યું હતું, જે ખરા સમયે કામ આવ્યું. જગડુશાહે થરપારકરના રાણા પડદેવની સામે થઈ જે કિલ્લો તેણે તોડ્યો હતો તે ભરેશ્વરને કિલ્લો નવો બંધાવ્યો હતે. શત્રુંજયની યાત્રાએ જતાં વઢવાણ શહેરમાં અટ્ટપદનું જિનાલય બંધાવવાની વ્યવસ્થા કરી હતી, તેમજ શત્રુંજયના શિખર સમાન સંકગિરિ ઉપર ભવ્ય જિનમંદિર બંધાવ્યું હતું. ગુજરાન-કાઠિયાવાડમાં બીજે પણ ઘણે સ્થલે તેમણે મદિર બંધાવ્યાં છે. આ સિવાય કુવા, વા, પરબ, ધર્મશાળાઓ, દાનશળાઓ, જ્ઞાનમંદિર અને જ્ઞાનશાલાઓ પણ ખૂબ બંધાવી હતી. વિક્રમની ચૌદમી સદીમાં આ દાનવીર થયા છે. વિશેષ માટે જુઓ જગડુચરિત્ર
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy