SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવતિ (સેટમેટ કિલ્લો) , • શ્રી સંભવનાથ ભગવાનનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કવલજ્ઞાન ચાર કયાલુક આ નગરીમાં થયાં છે. અયોધ્યાથી ત્રીસ કેસ દૂર આ સ્થાન છે. આ સિવાય ગડા જકશન થઈ બળરામપુર ઉતરી સાત કોસ દૂર સાવથીની યાત્રા થઈ શકે છે. રસ્તે જરા મુશ્કેલીવાળો છે પણ તીર્થભૂમિની ફરસના કરવા ચગ્ય છે. સાવથી આજે ઉજજડ છે. ત્યાં પ્રાચીન મંદિરે પડયાં છે. સ્થાને સ્થાન પર ઝાડી ઊગી નીકળી છે. તેનું બીજું નામ સેટમેટ Setamat કિલે કહેવાય છે, હાલ તે આ કિલે પણ ખંડ ખંડ થઈ ગયા છે. સંભવનાથનું પ્રાચીન મંદિર ખાલી ખંડિયેરરૂપે ઊભું છે. ત્યાંની મૂર્તિઓ મથુરાના મ્યુઝીયમમાં વિદ્યમાન છે. કાળની વિચિત્ર ગતિની પણ બલિહારી છે. મહાન તીર્થભૂમિ, પ્રાચીન નગરી આજે વેરાન જંગલ પડયું છે. શ્રી સંભવનાથને શ્રાવસ્તિ નગરીમાં જન્મ હતા. તેમના પિતા છતારી રાજા, સેનારાણી માતા હતાં. દેશમાં દુકાળ હતું, છતાં ભગવત ગલે આવ્યાથી અણુચિ ત્યે પૃથ્વીમાં ધાન્યને સંભવ થયે; તેથી સંભવનાથ નામ રાખ્યું. તેમનું ચાર ધનુષ્ય પ્રમાણ શરીર અને સાઠ લૉખ પૂર્વનું આયુ હતું. તેમને સુવર્ણ વર્ષ હતું તથા લાંછન ઘડાનું હતું. ' ભગવાન શ્રી મહાવીરસવામિ અહીં પધાર્યા છે અને એક ચાતુમાંસ પણ થયું છે. હિંદકવન ઉદ્યાન અહીં જ હતું. શ્રી પાર્શ્વનાથ ભગવાનના શાસનના શ્રી કેશીકુમાર અને ગીતમચ્છામી અહીં મળ્યા હતા અને પ્રશ્નોત્તરે થયા હતા,
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy