SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] : ૪૯૫ : ચંપાપુરી અસ્તુ, જે બન્યું તે આજે પ્રત્યક્ષ છે, છતાં આનંદની વાત એટલી છે કે તારે અને દિગમ્બરનાં મંદિર જુદાં છે. અને પિતપતાનું અલગ કાર્ય કરે છે. દરેક વાતે શાન્તિ છે. આટલે લાંબે ઇતિહાસ રજૂ કરવાનું કારણ માત્ર સત્ય સ્થિતિ જાણ વવાનું જ છે. પંદરમી શતાહિદના પ્રસિદ્ધ ઈતિહાસકાર અને યાત્રાકાર આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજી વિવિધ તીર્થકપમાં ચંપારીકલ્પમાં નીચે મુજબ લખે છે શ્રેણિક રાજાના પુત્ર અશોકચંદ્ર કે જેનું બીજું નામ કેણિક હતું તેણે પિતાના મૃત્યુના શાકથી રાજગૃહી નગરી ત્યજી ચંપાપુરીને સુંદર બનાવી રાજધાની સ્થાપી. વિવિધતીર્થકપમાં ચંપાપુરીકલ્પ છે, જેમાં ઘણું વિગતે આપી છે. મારા આ લેખમાં જે વસ્તુ નથી આવી તે સંક્ષેપમાં અહીં આપુ છુ. આ નગરીમાં શ્રી વાસુપૂજિનેન્દ્ર ભગવાનના પુત્ર મઘવનૃપતિ; તેમની પુત્રી લક્ષ્મીની પુત્રી રોહિણે અહીં થયેલી. તેને આઠ ભાઈ હતા. રોહિણીએ સ્વયંવરમા અકરાજાના કંઠમાં વરમાલા નાખી; બન્નેનાં લગ્ન થયાં અને રોહિણી પટ્ટરાણી બની, અનુક્રમે તેને આઠ પુત્ર અને ચાર પુત્રીઓ થઈ. શ્રી વાસુપુજ્ય ભગવાનના શિષ્યરૂપ કુરણ અને સુવર્ણકુમ્ભના મુખથી પિતે કદી દુઃખ જોયું નથી તેનું કારણ પૂછયું. મુનિઓએ તેણે પૂર્વભવમાં આધેલ રહિતપ છે એમ સભળાવી તેનું મહાઓ અને તેની ઉદ્યાપનવિધિ વગેરે કહ્યું. તેણીથી રેહિણીતપની પ્રસિદ્ધિ થઈ. બાદ તેનું ચારિત્ર લઈ. કર્મ ખપાવી મોક્ષે ગઈ, આ નગરીને કરકુંડ રાજાએ કાદંબરી અટવીમાં કલિગિરિની તલાટીમાં રહેલ કંડસરોવરમાં પાશ્વનાથપ્રભુ છપાથપણામાં વિચર્યા હતા તેથી હતિબંતસના અનુભાવથી કલકડતીર્થ સ્થાપ્યું. મહાસતી સુભદ્રા અહીં થઈ તેણે પિતાના શીલના માહાસ્યથી કાચા સુતરના તાંતણાથી ચાલશીદ્વારા કૂવામાંથી જલ કાઢી, જલના છાંટવાથી ચંપાનગરીના પથ્થરના કિલાના ચાર દરવાજા બંધ હતા તેમાં ત્રણ દરવાજા ઉઘાડ્યા હતા એક દરવાજો બંધ જ રાખે હતો કારણ કે મારા જેવી કોઈક સતી તે ઉઘાડે, આ દરવાજે ત્યારથી બંધ જ હતાઘણા લોકોએ ઘણા કાળ સુધી એ બંધ દરવાજે જે હતા. અનકમે વિક્રમ સંવત ૧૩૬૦ માં લક્ષણાવતીના હમ્મીર બી સુરત્રાણ સમસદીને (સસુદ્દીન) શંકરપુરના કિલા માટે એ લિાના પથ્થરો ઉપયોગી જાણી, તે દરવાજે તેડી તેના પથ્થર લઈ ગયે. દાધવાહન રાજા અને પ્રભાવતી રાણીના પુત્ર કંડુ પ્રત્યેકબુધ્ધ પણ અહીં થયા છે. ચદનબાલાનું જન્મસ્થાન પણ આ નગરી છે. ચદનબાલાએ કૌશંબીનગરીમાં છ મહીનામાં પાંચ દિવસ છે ભગવાન મહાવીરસ્વામીને સુપડાના ખૂણુ માંથી અડદના બાકુલા વહરાવી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી પ્રભુને અભિગ્રહ પૂર્ણ કર્યો હતે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy