SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] : ૩૮૩ : દયાલ શાહને કિલ્લે " मेदपाटपतिलक्षभूमिभृद्रक्ष्यदेवकुलपाटकपुरे । મેઘ-વીસ–શહ૪-પ-ર-પીજ-ર્નિવવāજાપાસ રૂપરા. श्रीतपागुरुगुरुघुधिभिः कारितं तदुपदेशसंश्रुतेः । तैः प्रतिष्ठितमथाऽदिमाहता मंदिरं हरनगापमं श्रिया ॥३५४॥ युग्मम्॥ અહીં અત્યારે મૂર્તિપૂજક શ્રાવકનાં ઘર થયાં છે. મહાત્મા શ્રી લાલજી અને મહાત રામલાલજી વગેરે મહાત્માઓ સજજન છે. અહીં ૧૦-૧૨ તે પોષાલે છે. ઉદેપુર આવનાર દરેક યાત્રી અહીં દર્શન કરવા જરૂર આવે, દયાળ શાહને કિલ્લો અઢારમી શતાબ્દીમાં ઉદયપુરના મહારાણા રાજસિહના મંત્રી દયાળશાહે એક કરોડ રૂપિયાના ખર્ચે કાંકરોલી અને રાજસાગરની વચ્ચે રાજસાગરની પાસેના પહાડ ઉપર ગગનચુધી ભવ્ય જિનાલય બંધાવ્યું છે. આ મદિર નવ માળનું હતું પરન્ત બાદશાહ ઔરંગજેબે એક મોટા કિટલે ધારી આ મદિર તેડાવ્યું. અત્યારે આ મંદિર બે માળનું છે. દયાળ શાહ સંઘવી ગોત્રના સરૂપથી એ સવાલ હતા તેમણે તે વખતના મેવાડના રાણા રાજસિહની વફાદારીભી રાજસેવા બજાવી હતી. તેમજ પ્રસ ગ આવ્યું મુસલલમાન બાદશાહ ઔર ગજેબ સામે બહાદૂરીથી લડી વિજય પતાકા મેળવી હતી. દયાળશાહે બંધાવેલા મંદિર માટે એક કિવદન્તિ છે કે-રાણા રાજસિંહે રાજસાગર તળાવની પાળ બંધાવવી શરૂ કરી પણ તે ટકતી ન હતી. છેવટે એવી દેવી વાણી થઈ કે કઈ સાચી સતી સ્ત્રીના હાથે પાયો નખાવવામાં આવે તે કાર્ય ચાલે. ત્યાર પછી શેઠ દયાળ શાહની પુત્રવધૂએ બીડું ઝડપ્યું. તેના હાથે પાયો નાંખી કાર્ય શરૂ કરાવ્યું જેથી કામ બરાબર ચાલ્યું. આના બદલામાં દયાલ શાહને પહાડ ઉપર મદિર બ ધાવવાની મજૂરી મળી. પહાડ ઉપર એક કરોડ રૂપિયા ખર્ચે નવ માળનું આ વિશાલ મંદિર બધાવ્યું એની વિજાની છાયા છ કેસ (બાર માઈલ) ઉપર પડતી હતી. આ કાંઈ કિલે નથી, એક વિશાલ મદિર છે આ મદિરની પાસે નવ ચેકી નામનું એક સ્થાન છે જેની કારીગરી ઘણું જ સુંદર છે. આ બૂ-દેલવાડાના મંદિરે ની કારીગરીના નમૂનારૂપ છે. નવ ચોકીમાં પચીસ સર્ગના શિલાલેખરૂપ એક પ્રશસ્તિ કાવ્ય છે. તેમાં રાણાઓથી પ્રશંસા છે. આ પ્રશસ્તિમાં દયાળશાહનુ પણ નામ છે. યાત્રિએ કડા સ્ટેશને ઉતરવું. ત્યાં એક નાની ધર્મશાલા છે. ત્યાંથી બે અઢી માઈલ આ મંદિર છે. કિલ્લાની તળેટીમાં ધર્મશાલા છે મંદિરમાં જે મૃતિઓ બિરાજમાન છે તે બધી ઉપર એક જ જાતને લેખ છે. તેમાં લખ્યું છે
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy