SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] : ૩૨૭ : સુછાળા મહાવીર કાંટા અને કાંકરાનુ જોર છે. લેામિયા વિના આ રસ્તે જવુ મુશ્કેલ છે. મરિજીની પાસે જ એક પુરાણી ધર્મશાલા છે. અહીં કાઈ રાત તા રહેતું નથી, પ્રતિમાજી બહુ જ પ્રાચીન છે. કેટલાક કહે છે કે-મા પ્રતિમાજી ન’દીવન રાજાએ ભરાવેલી છે. મેવાડમાં જેમ શ્રી કેશરીયાજીના અધિષ્ઠાયક જાગતી જ્યાત મનાય છે અને જૈન કે જૈનેતર દરેક પૂજે છે-માને છે તેમ અહીંના પણુ અધિષ્ઠાયક દેવ જાગતી જ્યાત છે. જૈન જૈનેતર દરેક પૂજે છે, માને છે મૂલનાયક પ્રતિમાજી ઘણે સ્થાનેથી ખડિત છે. ખીજી મૂર્તિ બિરાજમાન કરવા માટે લાવ્યા હતા પરન્તુ મૂલનાયકજીના જૂના બિંબ ગાદી પરથી ઉઠાવી શકાયા નહિ. આખરમાં નવીન ખ’ગ પાસેની દેરીમાં બરાજમાન કર્યાં. અહીંની વ્યવસ્થા ઘાઘેરાવના શ્રીસંધ રાખે છે. કા જી. ૧૫ ના ઘાણેરાવમાં મેળા ભરાય છે અને કા. વ. ૧ તેમજ ચૈતર શુદિ૧૩ના અહીં મેળા ભરાય છે. મૂછાળા મહાવીર કેમ કહેવાયા તે માટે એક દંતકથા છે જે આ પ્રમાણે છે. એક વાર ઉદેપુરને મહારાણા પરિજન સાથે શિકારે નિકળ્યા હતા. ફરતા ફરતા ધર્મશાળાના બહારના આટલા ઉપર વિશ્રામ કર્યાં. રાજકમચારીએ સાથે રાણાજી બેઠા હતા ત્યાં પૂજારીએ આવી તિલક માટે કેસર આપ્યુ. કેસરની વાતકીમાં અચાનક ખાલ નીકલ્યા. ખાલ જોઈ પુજારીને ઠપકા આપવા એક રાજક ચારીએ હસતાં હસતાં કહ્યું-પૂજારોજી, તમારા દેવને દાઢીમૂછ જણાય છે; નહિ. તે ક્રેસરમાં ખાલ કયાંથી આવે? પૂજારીથી આ પરિહાસ સહન કરાયા નહિ‘ અને નિડરતાથી કહ્યું–હા મહારાજ, મારા દેવ તે દાઢીમૂછ તે શું પશુ અનેક રૂપ કરવા સમર્થ છે. રાણાજીએ આ વાકય સાંભળી હસતાં હસતાં કહ્યુ–અગર જો તારી વાત સાચી હાય તા દાઢીમૂછ સહિત તારા ભગવાનનાં દર્શન કરાવ. પૂજારી કહ્યુ “ જો પ્રભુ દાઢીમૂછ સાથે દર્શન આપે તે જ હું અન્નજલ શ્રૃદ્ગુણુ કર્ઝ આમ કહી અઠ્ઠમના તપ કરો મદિરમાં બેસી ગયા. ત્રીજે દિવસે અધિષ્ઠાયક દેવે કહ્યું કે કાલે રાણાજીને દર્શન કરાવજે. પ્રભુ દાઢીમૂછ સહિત દર્શન દેશે.” પૂજારીએ ઉત્સાહમાં આવી ચેાથે દિવસે મંદિરજીનાં દ્વાર ખાલ્યાં, રાણાજીએ પરિવાર સહિત તેનાં દર્શન કર્યા. અને મૂર્તિને-પ્રભુજીના દાઢી મૂછ નિહાળી આશ્ચર્યમાં ગરકાવ થઈ ભક્તથી નમી પડ્યો, પરન્તુ એક જણે વિચાર્યું કે-આમાં પૂજારીનુ કંઈ કારસ્થાન હશે એટલે તેણે મુછના ખાલ ખેચે, એટલે એકદમ ત્યાંથી દૂધની ધારા છૂટી. પછી પૂજારીને એ મનુષ્ય ઉપર ગુસ્સા આવ્યા ને શ્રાપ આપ્યા કે તારા કુલમાં કાઈને દાઢીમૂછ નહિ ઊગે, કહે છે કે આ શ્રાપ સાચેા પડ્યો હતેા. આટલા ખાતર આ મૂર્તિ મૂછાળા મહાવીર તરીકેનો પ્રસિધ્ધ છે. સ્થાન બહુ જ ચમત્કારી અને પ્રભાવશાલી છે. અહી પહેલાં ઘણી વસ્તી હતી, ઘાઘેરાવ અને આ સ્થાન મ એક જ હતું. જંગલમાં બીજા મંદિરોનાં ખડેરા હજી પણ દેખાય છે, અહી થી ત્રણ ગાઉ સાદડી છે તેના પરિચય આગળ આપ્યા છે. ત્યાંથી સીધા રાણી પણ જવાય છે, સક્ષેપમાં મારવાડની મેાટી પંચ તીર્થીના આ પરિચય આપ્યા છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy