SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] બ્રહ્માણી (વરમાણ) આ મંદિરમાં ઉપલબ્ધ થતા લેખે તે ઘણા છે પરંતુ થોડા નીચે આપ્યા છે. જીરાવલા ગામની ચારે બાજુ ટીંબા પણ છે. અવારનવાર ખેદતાં જૈન મૂર્તિઓ વગેરે નીકળે પણ છે એટલે આ પ્રાચીન જૈન તીર્થ છે એમાં તે સંદેહ નથી જ, સુંદર આત્મિક પ્રમોદપ્રદ આ તીર્થની યાત્રા જરૂર કરવા જેવી છે. મહામંત્રી પેથડકુમાર, ઝાંઝણકુમાર, તેના પુત્ર ચાહડ વગેરેએ જીરાવલાજી તીર્થની યાત્રાઓ કરી છે અને અહીં મંદિર પણ બંધાવ્યું છે, “રાજુ થી ” એ ઉલેખ મળે છે. તેઓ સંઘ સહિત આવ્યા છે આ પછી સિરોહીના રાણા લાખાલલ)ના અમાને લઈને શત્રુંજયની યાત્રાએ સઘ લઈને જનાર પ્રા.કે ઉજલ અને કાજાએ સેમદેવસૂરિજી સાથે જીરાપલીની સાત દિવસ સુધી યાત્રા કરી છે. તેમજ માંડવગઢના સં. વેલાએ સુમતિસુંદરજીના ઉપદેશથી મેટ સંઘ કાઢયે છે તે પણ અહીં જીરાવલી આવ્યા છે. તેમજ સં. રત્ના, મેઘા અને જેશીંગે પણ જીરાવાલાજીને સંઘ કાઢી યાત્રા કરી છે. - ત્યાર પછી ૧૫૧૨ શ્રી જિનભદ્રસૂરિજીએ અહીં રહી સાધના કરી હતી અને શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રસાદથી માંડવગઢના ગ્યાસુદીન શાહની મહાસભામાં વાદવિજેતા બન્યા હતા. છેલે ૧૮૯૧ જેસલમેરના દાનવીર બાફણા ગુમાનચંદ બહાદરમલે શત્રુ જયને માટે સાવ કાઢયો હતો જેમાં ૨૩ લાખ રૂપિયા ખર્ચા હતા. તે સંઘ પણુ જીરાવલીજીની યાત્રાએ આવેલ હતું. આ વસ્તુ એટલા ખાતર જ નેંધી છે કે તીર્થને પ્રભાવ બારમી સદીથી તે અદ્યાવધિ વિદ્યમાન છે. અનેક ભાવિકે તીર્થયાત્રા કરી મનવાંછિત ફળ મેળવે છે. જીરાવલા પાર્શ્વનાથજીના મંદિરની આજુબાજુની દેરીઓમાં પ્રાચીન શિલાલેખે પણ મળે છે. ઠેઠ વિ. સ. ની પંદરમી સદીથી તે ઠેઠ ઓગણીસમી સદી સુધીના લેખો છે. પ્રાચીન લે તે ઘસાયેલા અને જીર્ણ છે. બાકી ૧૪૧૧-૧૪૮૧-૧૪૮૩– ૧૪૮૨-૮૩ વગેરેના લેખો અંચલગચ્છ, ઉપેકેશગ૭, તપાગચ્છના તથા ખરતરગચ્છના આચાર્યોએ પ્રતિષ્ઠા કરાવ્યાના છે. આમાં ઘણા લેખો આ, શ્રી સેમસુદરસૂરિજી અને તેમના પરિવારના છે તેમજ દાંતરાઈ ગામના શ્રાવકોનાં તેમાં નામ છે. સં. ૧૮૫૧ માં જીરાવલાના સંઘે ૩૦૧૧૧ રૂપિયા ખચી જે જીર્ણોધ્ધાર કરાવ્યે છે તેને પણ લેખ છે. અહીંના લેખો સારા ઐતિહાસિક સાહિત્યથી ભરેલા છે. (કેટલાક લેખે, બાબુ પૂરણચંદ, ના, પ્રાચીન જૈન લેખસંગ્રહ ભા. ૧ માં પૃ ૨૭૦-૭૧-૭૨ માં છે.) બ્રહ્માણ (વરમાણ) જીરાવલા પાનાથજી જે સ્થાનેથી નીકળ્યા તે બ્રહ્માણનગર એ જ અત્યારનું વરમાણું છે. જીરાવલાથી દક્ષિણ પશ્ચિમમાં મંડાર તરફ લગભગ ચાર ગાઉ દૂર આ ગામ છે. બ્રહ્માણ ગચ્છની ઉત્પત્તિનું સ્થાન આ બ્રહ્માણપુર(વરમાણ) છે. અહીં
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy