SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - ઈતિહાસ ] ': ૨૮૩૪ - '' આમ્ પ્રતિષ્ઠાયક છે તપાગચ્છનાયક સોમસુંદરસૂરિશિષ્ય મુનિસુંદરસૂરિશિષ્ય જયચંદ્રસૂરિશિષ્ય રતનશેખરસૂરિ અને તેમના પટ્ટધર શ્રી લક્ષમીસાગરસૂરિજી બાદમાં ૧૫૩૧-૧૫૪૦ અને ૧૫૪૭ સુધી પ્રતિષ્ઠા થયેલી છે. ઉપર્યુક્ત બને મત્રીશ્વરેએ રાજ્યની મદદથી આ મહાન કાર્ય કરાવ્યું હતું. પ્રતિષ્ઠસમયે અમદાવાદથી સંઘ લઈને આબૂ આવ્યા હતા. આ મંદિરમાં કુલ ૨૦ દેરીઓ છે. તેમાં બે ખાલી છે, બાકી બધામાં પ્રતિમાજી છે. ' ' ' પીત્તલહર મંદિરની બહાર યાત્રીઓને પૂર્જન માટે નહાવાની ઓરડીઓ છે. જમણી બાજુ એક ખૂણામાં એક મેટા ચબૂતરાના ખૂણામાં ચંપાના ઝાડ નીચે એક નાની દેરી છે તેમાં મળુિભદ્ર દેવની મૂર્તિ છે. ' આ દેહરીની બંને તરફ સુરહિત સુરભી)ના ચાર પથ્થરે છે. ચારેમાં લેખ છે. એક સુરહિને લેખ તદ્દન ઘસાઈ ગયેલ છે. ત્રણ સુરીના લેખે પણ થોડા થડા વંચાય છે. એકમાં લખ્યું છે કે વિ. સં. ૧૪૮૩ ચેક સુદિ ૯ સોમવાર અને એકમાં ૧૪૮૩ શ્રાવણ વદિ ૧૧ રવિવારને લેખી છે. તેમાં મંદિરે માટે ગામ, ગરાસ આદિ ભેટ આખ્યાને ઉલેખ છે. અને એથી સુરહી ઉપર માગશર વદિ ૫ સેમવાર ૧૪૮૯ તે વખત અબૂના રાજા ચૌહાન રાજધર દેવડાને લેખ છે. આગળ લખ્યું છે કે રાજ્યની ઉન્નતિ માટે વિમલવસહી, લુણવસહી અને પીત્તલહેર મંદિરનાં દર્શન માટે આવનાર યાત્રિકના કર માફ કર્યા છે અને કાયમને માટે આ તીર્થ કરના બંધનથી માફ કરેલ છે. આ લેખના લેખક છે તપાગચ્છાચાર્ય શ્રી સેમસુંદરસૂરિના શિષ્ય પં. સત્યરાજ ગણી છે. આ ઉપરથી એમ લાગે છે કે આ કાર્ય શ્રી સમસુદરસૂરિજી મહારાજ અથવા તેમના સમુદાયના કેઈ વિદ્વાન સાધુના ઉપદેશથી થયુ હશે. પાસે જ બીજા પથ્થર ઉપર- ગજારૂઢ શ્રી માણિભદ્ર દેવની પૂરાણી મૂર્તિ છે. ચૌમુખજી દેલવાડામાં ચૈથું મંદિર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું છે. તે ચતુર્મુખ હોવાથી ચૌમુખજીનું મંદિર કહેવાય છે. ત્રણ માળનું વિશાળ મંદિર છે. ત્રણે માળમાં ચૌમુખજી છે. ત્રણ માળમાં થોડી મૂર્તિઓને બાદ કરતાં ઘણી પ્રતિમાઓ દરડાગાત્રીય ઓસવાલ સંઘવી મંડલિક તથા તેમના કટીઓએ વિ. સં. ૧૫૫ તથા તેની આસપાસના સમયમાં બિરાજમાન કરેલ છે. આ મંદિરમાંની ઘણું મૂતિની પ્રતિષ્ઠા ખરતરગચ્છાચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજીએ કરાવેલ છે. વિ. સં. ૧૪૭ સુધીના લેખમાં આ મંદિરને ઉલ્લેખ જ નથી મળતું તેમજ જિનપ્રભસૂરિજી વિવિધ તીર્થકલ્પમાં તે બે મંદિરે વિમલવસહી અને લુણવસહીને જ ઉલ્લેખ કરે છે. પાછળના શિલાલેખમાં પીત્તલહરને ઉલેખ છે, એટલે આ મંદિર પ્રાય. ૧૫૧૫ લગભગ બન્યું હશે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy