SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ મુંબઈ : ૨૫૬ : [ ન તીર્થોને ગામમાં બાટને ત્યાં પ્રતિમાજી છે તે લાવે. બારેટને ત્યાં જુદા જુદા ગામના લેકે પોતાને ત્યાં લઈ જવા ઈચ્છતા હતા. આખરે માતરના શ્રાવકેનું સ્વપ્ન ફળ્યું. પ્રતિમાજીને ગાડામાં પધરાવતાં જ ગાડું માતર તરફ વળ્યું. આવી જ રીતે માતર જતાં રસ્તામાં નદી આવી જે ચારે કાંઠે ભરપૂર હતી. ગાડું વિના વિદને નદી પાર ઉતરી ગયું. જનતાએ કહ્યું-આ કાલમાં આ જ પ્રભુજી સાચા દેવ છે. ત્યારથી “સાચા દેવ”ના નામથી ખ્યાતિ વધી. માતરમાં પ્રથમ ૧૮૨૨ માં અને બાદમાં ૧૮૯૭ માં બાવન જિનાલયનું ભવ્ય જિનમંદિર થયું. ત્યાં સુંદર ધર્મશાલા છે. હમણાં શેઠ જમનાભાઈ ભગુભાઈ તરફથી દ્વારા સુંદર થા છે. સુંદર બાવન જિનાલયે કરાવ્યા છે. મંદિરની સામે જ માટી ધર્મશાળા છે સામે ઉપાશ્રય છે. બીજી નાની ધર્મશાળ પણ છે. દર પૂર્ણિમાએ ઘણા યાત્રાળુઓ લાભ લચે છે અને ભાતું પણ અપાય છે. માતર જવા માટે, અમદાવાદથી મુંબઈ જતી લાઈનમાં મહેમદાવાદ સ્ટેશને ઉતરી, ખેડા થઈ વાહન-ટાંગા-ગાડીથી માતર જવાય છે. તેમજ નડીયાદથી માતર મોટર પણ જાય છે. અગાશી. મુંબઈનું પ્રવેશદ્વાર અને પ્રાચીન સંપારિક નગરની પાસેનું શહેર છે. મોતીશાહ શેઠનાં વહાણ પારક બંદરે રોકાયાં હતાં. ત્યાં શ્રી મુનિસુવ્રતસ્વામીની મૂતિ લાવી અહી પધરાવી નાનું મંદિર બંધાવ્યું. બાદ શ્રી સંઘે જીર્ણોદ્ધાર કરી મોટું મંદિર ધર્મશાલા બધાવ્યા. પાસે જ નવીન એપારા છે ત્યાંના તલાવમાંથી પણ મૃતિઓ નીકળી હતી. મુંબઈની ઉત્તરે ઠાણા જીલ્લામાં બી બી. એન્ડ સી. આઈ રેલવેના વીરાંર સ્ટેશનથી ચાર માઈલ દૂર છે. મુનિસુવતરવામીની જે પ્રતિમા હાલમાં બિરાજમાન છે, તે શ્રી મુનિસુવ્રતસ્વામીના સમયની મનાય છે. કોંકણ દેશને રાજા જૈન ધમી હતો અને તેના સમયમાં આ પ્રદેશમાં હજાર જેન સાધુએ વિચરી લોકપકાર કરતા હતા, જં નિશીથગૃષ્ટિમાં આ પ્રસગનો ઉલ્લેખ છે. અગાશી હવા ખાવા માટે પણ વખણાય છે. અહીં સુંદર ધર્મશાળા-પુરતકાલય વગેરે છે. યાત્રિકે પણ ખૂબ લાભ લે છે. મુંબઈ આ શહેર ભારતવર્ષનું બીજા નંબરનું અદ્વિતીય શહેર છે. દુનિયાભરના ટામેટા શહેરમાં તેની ગણત્રી છે. બદર સુંદર અને ચગવડતાવાળું હેવાથી વ્યાપાર માટે હિંદભરમાં પ્રથમ પંક્તિનું આ શહેર છે. દુનિયાની પંચરંગી પ્રજા અહીં જોવા મળે છે. મુંબઈ રાજકીય અને સામાજિક પ્રવૃત્તિનું કામ છે. જેની વસ્તી અહીં સારા પ્રમાણમાં-એટલે કે પચીશ હજારની આસપાસ છે. મુંબઈ સગા
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy