SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૧૩૭ : ભરુચ અહીંની આબોહવા ઘણું જ સારી છે. હવા ખાવાનું સ્થાન છે. શ્વેતાંબર જૈન ધર્મશાળાઓ છે. સગવડ સારી છે. ભરુચ (અશ્વાવબેધ તીર્થ) અમદાવાદથી મુંબઈ જતી B.B. & G.T. રેલવેમાં ભરૂચ સ્ટેશન આવે છે. ભરૂચ લાદેશની પ્રાચીન રાજધાની છે-હતી. ભરૂચથી છ માઈલ દૂર અશ્વાવબેધ તીર્થ છે. વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીના સમયથી આ તીર્થની સ્થાપના થઈ હતી. શ્રી મુનિસુવ્રતસ્વામી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ભૂતલમાં વિચારી રહ્યા હતા. વિહાર કરતા કરતા પ્રતિષ્ઠાનપુરમાં પધાર્યા. આ વખતે ભરૂચમાં જિતશત્રુરાજા પિતાના સર્વ લક્ષણસંપન્ન અશ્વનું બલિદાન દેવા તયાર થયા હતા. પિતાના જવાથી અશ્વનું કલ્યાણ થશે એમ જાણી ભગવાન પ્રતિષ્ઠાનપુરથી વિહાર કરી એક જ દિવસમાં ૬૦ કેશ ભરૂચના કેરટ વનમાં પધાર્યા. ઉપદેશ આપી રાજાને પ્રતિબધી અશ્વના જીવને તેને પૂર્વ ભવ કહી બચાળે અશ્વ અનશન કરી મૃત્યુ પામી સૌધર્મ દેવલેકમાં મહર્થિક દેવ થયે. બાદ ત્યાંથી આવી પ્રભુજીના સમવસરણના સ્થાને રત્નમય સુંદર જિનમંદિર બંધાવ્યું. શ્રી મુનિસુવ્રતસ્વામીની સુંદર પ્રતિમાજી સ્થાપિત કર્યા પિતાની પણ અશ્વરૂપ મૂતિ બનાવી બાદ દેવલોકમાં ગયે. ત્યારથી અશ્વાવબોધ તીર્થ પ્રસિદ્ધિમાં આવ્યું. આવી જ રીતે અહીં કેરટ વનમાં એક સમળી મૃત્યુસમયે મુનિવરેના મુખથી નમસ્કાર મહામંત્ર સાંભળી સિંહલદેશના રાજા ચંદ્રગુપ્તની પત્ની ચંદ્રલેખાને સાત પુત્રે પછી દેવીની આરાધનાથી સુદર્શના નામની પુત્રી જન્મી. તે જન્મમાં નવકાર મંત્ર સાંભળતાં જાતિમરણ જ્ઞાન થયું કે પિતે પૂર્વ ભવમાં ભરૂચમાં નર્મદા તીર કેરટ વનમાં સમળી હતી. એક વાર વડ ઉપર બેઠેલી તેવામાં પારધી. ના બાણથી વધાયેલી હું કરુણ આકંદ કરતી હતી. તેવામાં કોઈ મુનિ મહારાજે નવકાર મંત્ર સંભળા. મેં તેની અનુમોદના કરી ત્યાંથી મૃત્યુ પામી હું રજપુત્રી થઈ છું. આ પ્રમાણે જાતિસ્મરણ જ્ઞાન થયા બાદ કેરંટ વનમાં ચત્યને જીર્ણોદ્ધાર કર્યો. ગ્રેવીસ દેરીઓ બનાવી પૌષધશાળા, દાનશાળા વગેરે કરાવ્યાં ત્યારથી શકુનિકા વિહારની પ્રસિદ્ધિ થઈ. અને તે સુદર્શના મૃત્યુ પામી ઈશાનદેવલોકમાં ઉત્પન્ન થઈ. શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં આ પ્રસંગ બન્યું છે, ભરૂચમાં શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા છવંતસ્વામી તરીકે પૂજાય છે. બાદ પરમાહિતપાસક મહારાજા કુમારપાલપ્રતિબંધક કલિકાલસર્વજ્ઞ આચાર્ય મહારાજશ્રી હેમચંદ્રસૂરિજી મહારાજના ઉપદેશથી મહામાત્ય ઉદાયનના પુત્ર મંત્રીશ્વર અંગડે પિતાના પાથે શનિકાવિહારને આધાર કરાવ્યું. આ વખતે મિથ્યાદષ્ટિ સિંધવા દેવીએ તેને ઉપસર્ગ કર્યું હતું જેનું નિવારણ આચાર્યશ્રી
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy