SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ - - ઇતિહાસ ] : ૧૨૩ : ગિરનાર ગુજરાત દેશના વઢીયાર વિભાગમાં લોલાહ ગ્રામના રવાડ હતા. તેમણે તપાગચ્છાધિરાજ શ્રી સેમસુન્દરસૂરિજી મહારાજ પાસે ભગવતી સૂત્રનું શ્રવણ કરી, જ્યાં જ્યાં ગાયમા પદ આવતું ત્યાં ત્યાં સેનામહોર મૂકી હતી પિતાની પિતાની માતાની અને સ્ત્રીની મળીને કુલ ૬૩ હજાર સોનામહોર જ્ઞાનખાતામાં વાપરીને પુસ્તક લખાવ્યાં હતાં. આ જ શ્રાવક સગરામ સેનાએ ગિરનાર ઉપર ટ્રક બંધાવી છે. તેમણે શ્રી સેમસુંદરસૂરિજીના ઉપદેશથી ૧૭ નૂતન જિનમંદિરે બંધાવ્યા અને ૫૧ મંદિરોને જીર્ણોધ્ધાર કરાવ્યું. બધે પ્રતિષ્ઠા શ્રી સેમસુંદરસૂરિજી મહારાજે કરાવી હતી. તેમણે માંડવગઢમા સુપાર્શ્વનાથ જિનને પ્રાસાદ અને મક્ષીજીમાં મક્ષીજી પાર્શ્વનાથ પ્રાસાદ પણ કરાવ્યું હતું. આ ટ્રકને રંગમંડપ વગેરે દર્શનીય છે. ગભારે પણ વિશાલ છે. મૂળનાયક શ્રી સહસ્ત્રફણા પાશ્વનાથજી છે. આસપાસ કુલ પચીસ પ્રતિમાઓ છે. ભમતીમાં ત્રણ દેરાસરો છે. તેમાં બે દેરાસરમાં ત્રણ ત્રણ અને ઉત્તર દિશાના મંદિરમાં પાંચ પ્રતિમાઓ મળી કુલ ૧૧ પ્રતિમાઓ છે. એક પાષાણુની સુદર ચોવીશી પણ છે. અત્યારે જે મૂલનાયક પ્રતિમાજી છે તે પાછળથી બેસાડેલ છે તેમાં વિ. સં. ૧૮૫૯ જેઠ સુદ ૭ ગુરુ પ્રતિષ્ઠાપક શ્રી વિજયજિનેન્દ્રસૂરિજી છે. આ ટ્રક ગિરનાર ઉપર સૌથી ઊંચી દેખાય છે. દક્ષિણ તરફની દેરીને જીદ્ધાર શેઠ આણું. દજી કલ્યાણુજીની પેઢી તરફથી વિ.સં.૧૮૭૫ માં થયેલ છે. ભમતીમાં જાળી વગેરેનું કામ દેવચંદ લખમીચંદની પેઢીએ કરાવેલ છે. મંદિરમાં કરણ વગેરે જોવાલાયક છે. - કુમારપાળની ટ્રક ગુજરાતના મહારાજા પરમાતપાસક કુમારપાલે જૈન ધર્મ સ્વીકારી કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજના ઉપદેશથી ૧૪૪૪ જિનમદિરા બંધાવ્યાં હતાં. આ જ મહારાજાએ ગિરનાર ઉપર પણ ભવ્ય જિનમંદિર બંધાવ્યું હતું. આ દેવાલયને માંગરેલના શ્રાવક શેઠ ધરમશી હેમચંદે છઠ્ઠાર કરાખ્યું છે. ન કુંડ બનાવતી વખતે જે સુરગ મૂકેલી તેથી આ મંદિરને કેટલેક ભાગ નાશ પામ્યું છે. મંદિરની પાસે દેડકી વાવ છે. નજીકમાં સુંદર બગીચે છે. આ ટ્રકને રંગમંડપ છે જ મટે છે. પશ્ચિમ તરફથી બીજું કાર છે જેમાંથી ભીમકુંડ તરફ જવાય છે. ભીમકુંડની પૂર્વ તરફના કિલ્લા ત પ્રાચીન પંડિત પ્રતિમાઓ છે. આ સ્થાન ભીમકુંડેશ્વર મહાદેવનું છે એમ કરાવવા જુનાગઢના નાગર ઝવેરીલાલ કેશવલાલના પિતા વાગવાનલાલ મદનજી કે જેઓ કાઠિયાવાડના નેટીન એજન્ટ નીમાયા હતા તેમને પ્રયત્ન કરેલ પરન્તુ તે પ્રસંગે અમદાવાદવાળા કરી પંજશા કે જેઓ પણ એજન્ટ હતા તેમણે ત્યાં આવ્યા, તાર ઉપરના ઉમ પર - 'બિના મારા ની પ્રસ્તાવનામાવવું છે-માની અને બટાકા જમાનામાં થયો હતો. બાદરા તેમને અને ભાડા ઉપનામથી ના.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy