SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૪) રેપ કરેલો દેષ લોકોને કહેવા લાગી. તે વાત કોઈએક વખતે રામના કાને પડી. તે મનનાં ન લાવતાં સીતાને રામ કહેવા લાગ્યો કે હે પ્રિય સી આ ગર્ભના યોગે તારૂ શરીર સુકાઈ ગયું છે, તેને આનદ કરવા સારૂ હમણાં વસંતરિતુ રૂપ લક્ષ્મી આવીને ક્રિડા કરવાની સુચના કરે છે. અને ગર્ભવાળી સીના મનોરથે કરી બકુલ નામના વૃક્ષને ફુલો આવ્યાં છે, માટે આ સમયે કિડા કરવા સારૂ આપણુ મહેદ્ર ઉદ્યાનમાં જઈએ. ત્યારે સીતા બોલી કે મા રે મરથ દેવતાની પુજા કરવાને થયો છે. તેને ઉદ્યાનમાંના સુગધી કુલ વડે પુરો કરો. એવું સાંભળીને તે જ વખતે દેવોની પુજા કરાવીને તથા સીતાને સાથે લઈને રામ મહે દ્રોદ્યાનમાં આવ્યો ત્યા નગરના લોકો વાત, ના ઉત્સવ કરી રહ્યા છે તે જોવા લાગ્યા. એટલામાં સીતાની જમણી આં ખ ફરકવા લાગી, તેથી તેના મનમાં શંકા આવી. ત્યારે તે વાત રામને કે હી. રામે સાંભળીને કહ્યું કે એ ચિન્હ સારૂ નથી. સીતા બેલી મારા રાક્ષસદ્દીપના વાસપી શુ વિધાતા રાજી થયો નથી કે હે પ્રાણપતિ રામ, તારા વિયોગની દુઃખથી બીજુ અષિક દુઃખ દેવાની વિધાતાને ઈરછા છે કે શુ? આ નિમિત અન્યથા થનાર નથી. ત્યારે રામ કહે છે કે હે દેવી તું ખેદ કરે નહીં, જે થવાનું હશે તે થશે સુખ અને દુઃખ એ ફધીન છે, માટે જ રર જોગવવાં જોઈએ. હવે ઘેર જઈ દેવની પુજા કર, અને સુપાત્રને દાન આપ. કહ્યું છે કે “દુઃખના વખતે ધર્મની શરણ છે પછી ઘેર જઈ મોટા ભાવથી અહંતની પુજા કરીને તેણે સારા પાત્રને ઉત્તમ પ્રકારનાં દાન દીધાં. કોઈએક સમયે વિજય, સુરદેવ, મધુમાન, પિગલ, શુલધર, કાલ, ક્ષેમ અને કાશ્યપ એ આઠ અધિકારીઓ આવી રામને નમસ્કાર કરીને ઉભા રહ્યા, પરંતુ તેઓનાથી રામની સામે કઈ પણ બોલાયું નહીં, કેમકે તેઓ નાથી રાજ તેજ સહન થયુ નહી ત્યારે તેને રામ કહેવા લાગ્યો કે હું અને ધિકારી પુરુષો તમે એકાંત હિત કહેનારા છો તેથી હું તમને અભય આપુ છું જે તમારા મનમાં હોય તે મારી પાસે કહે એ રામનું બોલવું " " ; - - ' '
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy