________________
-
, ,
- - -
-
- -
-
-
-
-
.
(૧૦૮) નગરને ઘેરો ઘાલ્યો. પછી સી હોદર રાજાએ વજરકરણની પાસે એક દુત મોકલ્યો. તે દુત તેની પાસે આવીને કહેવા લાગ્યો. હે વજરકરણ અમારા રાજાએ એવી આજ્ઞા કરી છે કે. આજ દિવસ સુધી તે મારી પટે કરી વદના કરી તે મેં જાણ્યું, પણ હવે તે વીંટી હાથમાં ન, ઘાલીને મને આ વી નમસ્કાર કર. નીકર કુટુંબ સહિત તને આજે હું મને ઘેર મોકલાવીશ એવું તેનું બોલવું સાંભળીને વજરકરણ કહેવા લાગ્યો કે, અહંત અથવા તેના સાધુ શિવાય કોઈને હું નમસ્કાર કરનાર નથી એવો મારે પણ છે, તે પરાક્રમનો અભિમાન નથી. પણ ધર્મને અભિમાન છે. તે માટે એક નમસ્કાર શિવાય બીજુ જે કાંઈ મારા ઘરમાં છે તેની તને ઇચ્છા હોય તે લઈ જા. મને માત્ર ધર્મનો કાર આપ. ધર્મ સારૂ અહીંથી હુ બીજા ઠેકાણે જ ઇ રહીશ. એ સર્વ વાત દુતે જઈને સીંદર રાજાને કહી. તે સાંભળીને તેના ભાષણને માન દીપે નહીં. કહ્યું છે કે, “માની પુરૂષો ધર્મ અથવા અધમને કદી પણ માનતા નથી.”
પછી સહેદર રાજા વજરકરણ સહિત નગરને રૂદી લઈને તથા બાહાર રહીને આખા દેશને લુટવાનું શરૂ કર્યું. તેના ભયે કરી આ દેશ ઉ. જડ થઈ ગયો. હું રાજાના ભયથી મારા કુટબ સહિત ત્યાંથી નાસી ગયો. આ નગરમાંના સર્વ ઘરો આજ બળી ગયાં. મારૂ ઘર ઘણું જુનું છે તે જે ઈને કૃર બુદ્ધિ જે મારી સ્ત્રી તેણે મને બળેલા શાહુકારના ઘરમાંથી સામાન લઈ આવવાને કલ્યો છે. તેના તે દુષ્ટ વચનો વડે આ તમારા દરશનરૂપ શુભ ફળ થયુ. મોટા પ્રાલ્બધના યોગે દેવની પઠે મે આજ તમને દીઠા એવી રીતે તે દરિદ્રી પુરુષ દીનતાથી બોલ્યો ત્યારે રામચંદ્રને તેની ઉપર દયા આવી તેથી પોતાને સોનાનો ક દોરો તેને આપ્યો. પછી તે પુરુષને જવાની આજ્ઞા કરી. પોતે ત્યાંથી ચાલ્યા દશાંગપુરમાં આવી શ્રી ચંદ્રપ્રભ અના ચિત્યને નમસ્કાર કરીને ત્યાં જ રહા.
પછી રામની આજ્ઞા લઈને લક્ષ્મણ નગરમાં વજરકરણ પામે ગયે. તેને કોઈ ઉતમ પુરૂષ જાણીને વજરકરણ બોલવા લાગ્યો કે, હે મહાભાગ, તમે આજ મારે ઘેર પરણું થઈને ભોજન કરે, ત્યારે તેને લક્ષ્મણ કહેવા લાગ્યો કે, પોતાની સ્ત્રી સહિત મારા સ્વામી બાહાર ઉદ્યાનમાં બેઠેલા છે. પ્રથમ તેને ભોજન કરાવીને પછી હું જમીશ, ત્યારે વજરકરણે સીતા સહિત રામને બોલાવીને વ્યાજનો સહિત ભોજન પદાર્થ તેમની પાસે આવી