________________
૧૬૮
નિકાવ્યદેહન. ' પણ વનમાં વિદ્યાસાધકને કેમ હશે જે. સાધક હણીયે પૂછે છે શું કાજ જે, પરની વાત કરતાં નાવે લાજ જે; પર ઘરની વાતોએ જીર્વે નંદકી જે. નહિ હમ નંદકિ નહિ નંદકિ મા બાપ જે, અમ કુળમાહે નંદકીની નહિ છાપ જે; ચટકો કેમ લાગ્યો રે સાચું પૂછતાં જે. સાચું પૂછે તે શું સગપણ લાગે છે, શરમની વાતે મોટા ઉત્તર ભાગે છે; નહિત વિણ કામે પૂછવું નવી ઘટે છે. વિણુ કામે નવિ જાવું કઈને ઘેર જે, સેહજે મરમની વાતે પ્રગટે ઝેર જે; સગપણ વિણ નવી બોલી શકીએં એવડું જે. સગપણ શું લાગે છે બોલો અમને જે, એવડું જે દુખ લાગે દિલમાં તમને જો; અંતરને ઘા લાગ્યો માલમ કેમ પડે છે. સાધક એ મુઝ વૃદ્ધ સદર થાય છે, નિરપરાધી હણી દેઈ ઘાય છે; એ વાતે ક્ષત્રીની લાજ વધે નહીં જે. સાચું કહ્યું પણ ફરતાં નદિય કનારે જે, તરૂ લટકંતી લીધી એક તરવાર જે; વંશ જાળ કાપતાં સાધકને હણ્યો છે. સહસા ઘાત ન કરવો શસ્ત્ર પ્રહાર છે, લહિ તરવાર ન કીધો કાંઈ વિચાર જે; ખરતન તજીને નર ન રહે વેગળા જે. ભૂલ પડી અમને એ સઘળી વાતે જે, ભિલ્લ તણી પરે કામ કર્યું અસિ તે જે; પશ્ચાત્તાપ થયો તે જાણે કેવળી જે.