________________
૫૧૨
જૈનકાવ્યદોહન,
આ૦ ૨૦.
સારવાહને સોંપતાં, સ્વસ્થ થઈ તેણુ વાર રે; પુછી વાત ધીરજ દીએ, કહે નવિ બીહે લગાર રે; તુઝ બાંધવ ઘરબાર રે, તેહવું મુઝ ઘર ધાર રે; રહે સુણી વસુદત્તા નાર રે, સાર્થવાહ કરે સાર રે. આ૦ ૧૯. નામે સુત્રતા સાધવી, બહુચેલી પરિવાર રે; જીવિત સ્વામીને વાંદવા, સાથમેં કરત વિહાર રે; થઈ તસ સંગતિ સાર રે, સુણી નવતત્વ વિચાર રે; લહી સંસાર અસાર રે, સાર્થેશ આણું આધાર રે; લીધો સંજમ ભાર રે. ગુરૂણી સાથે ઉજેણીએં, મળીયાં મા તાત ભાય રે; વીતક વીત્યા તે સવિ કહ્યાં, સણું સમકિત પાય રે; દુગુણે સવેગ થાય રે, તપ કરતી નિમાય રે; અંયે સ્વર્ગ સધાય રે, શ્રી જિન ધર્મ પસાય રે. આ૦ ૨૧. ચેથે ખંડે રે એ કહી, છઠ્ઠો ઢળકતી ઢાળ રે; શ્રી શુભવીરની વાણી, અમૃતની પરનાળ રે; ધર શીખ રસાળ રે, આપમતિપણું ટાળ રે; ઈડી કર્મજંજાળ રે, લહે શિવસુખ ઉજમાળ રે. આ૦ ૨૨.
દેહરા, વાત સુણી વિમળ કહે, વાત ભણી ઘણી સાર; વળી નૃપ અરિદમણ તણે, કહો બીજો અધિકાર. તવ જપે કમળા ઈસ્યું, મુજ કેહેવાની હેવી શું નિરર્થકતા બોલવું, તુજ સુણવાની ટેવ. રવિઉદ વન કેલીએ, જે ધમ્મિલ સહ જાય; તે એ વાત સુણાવીઍ, કાજ સકળ સિદ્ધ થાય. વસુદેવ હીડેએ કહ્યાં, સુંદર દે દષ્ટાંત; સમઝને સમઝાવવાં, એ છે મંત્ર મહંત. વળતું તવ વિમળા વદે, કરશું સર્વ પ્રકાર તવ કમળા અરિદમણને, કહે હવે અધિકાર