________________
તરીકે મૂકવાને હવે તે જુદે બહાર પાડવાનો નિર્ણય થશે. ઉપદુઘાત પર લંબાણ પ્રસ્તાવના હોય જ નહિ તેથી અત્ર સુદ્દાની વાત કરી વિષયની શરૂઆત કરી દઈએ.
યોગને વિષય અગમ્ય નથી એ આ લેખ વાંચવાથી જરૂર જણાશે. એ લખતી વખતે સાદી ભાષામાં પારિભાષિક વિષય બતાવતાં બહુ મુશ્કેલી જણાઈ છે તે પણ બની શકે ત્યાં સુધી પારિભાષિક શબ્દ વિવેચન વગર અથવા ખુલાસા વગર દાખલ થવા દીધું નથી અને ભાષા જેમ બને તેમ ઘરગથ્થુ રાખવા પ્રયત્ન કર્યો છે. એમાં કદાચ ખલના થઈ હોય તે તે વિષયની મહત્તાને અંગે બનવાજોગ છે. વળી અતિ ઉત્ક્રાતિ બતાવનાર વિચારે સાદી ભાષામાં બતાવવા જતાં કેઈવાર કિલષ્ટતા થઈ જવા પણ સંભવ છે. એ બન્ને બાબતમાં પૂરતી સંભાળ રાખવા છતાં પણ ખલના થઈ હોય તે તે સંતવ્ય ગણી તે પર ધ્યાન ખેંચવા ખાસ વિજ્ઞમિ છે.
આપણે ઘણી વખત અમુક પ્રાણીના જીવનપ્રદેશના એક વિભાગ પર વિચાર કરી શકીએ છીએ, કારણ કે આપણું જ્ઞાન હદવાળું હવાને લીધે આપણે બહુ લંબાણ જોઈ વિચારી શક્યા નથી. આવા અંકિત જ્ઞાનને પરિણામે ઘણી વખત અમુક બનીને આપણને ખુલાસે થતું નથી અને તેને પરિણામે ધર્મિષ્ઠ માણસને દુઃખી થતાં જોઈને અથવા અધમ પંક્તિના માણસને સુખ જોગવતા જોઈને, મોટા વિગ્રહોમાં તેને માટે જવાબદાર વ્યક્તિને આરામ લાગવતાં જોઈને અને નિર્દોષ હજારને મરી જતાં જઈને અને એવી એવી અનેક વિરોધદર્શક સ્થિતિ જોઈને મનમાં મુંઝાઇએ છીએ અને આ બધા ગોટાળામાં કાંઈ વ્યવસ્થા હશે કે નહિ