SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ભિન્ન અવરથા સૂચક છે. આ પુદ્ગલ દ્રવ્યની અવિભાજ્ય. અને સવિભાજ્ય દિશાનો ખ્યાલ પેદા કરવા માટે તે મને દશાઓનાં જૈન શાસ્ત્રમાં અનુક્રમે પરમાણુપુદગલ અને સ્કંધપુદગલ નામે અપાયાં છે. પરમાણુસ્વરૂપ અંગે જૈનદર્શન કહે છે કે જ્યાં સુધી તે સ્કંધગત છે, ત્યાં સુધી તે અવિભાજ્ય અંશને પ્રદેશ કહેવાય છે. અને પિતાની પૃથક અવસ્થામાં તેને પરમાણુ કહેવાય છે. આ પરમાણુપુદ્ગલ તે અવિભાજ્ય, અચ્છેદ્ય અદાહ્ય, અને અગ્રાહ્ય છે. તેની નથી લંબાઈ કે નથી પહોળાઈ કે નથી જાડાઈ. તેમાં પાંચ પ્રકારના રંગમાંથી કેઈ એક વર્ણ, બે ગંધમાંથી કોઈ એક ગંધ, પાંચ રસમાંથી કોઈ એક રસ, અને ચાર સ્પર્શેમાંથી કેઈ બે સ્પર્શ હોય છે. એટલે ત્રણ યા સ્નિગ્ધમાંથી એક, અને શીત યા ઉષ્ણમાંથી એક, એમ બે સ્પર્શ હોઈ શકે. પરમામાં ચક્ષુરિન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય, અને સ્પર્શનેંદ્રિયને વિષય, વર્ણ—ગંધ-રસ અને સ્પર્શ હોય છે, પરંતુ શ્રોત્રેન્દ્રિયને વિષય શબ્દગુણ, એક પરમાણુમાં હોઈ શકતું નથી. શબ્દ તે સ્કને જ નિરૂપ પરિણામ છે. સ્કંધ પુગલમાં જે કે પરમાણું તે છે જ, પણ સ્વતંત્ર રહેલા પરમાણુને ધ્વનિરૂપ પરિણામ હોઈ શકતું નથી. પૌગલિક વસ્તુમાત્રમાં ઉપાદાન તે પરમાણું જ હેવાથી અંધનિર્માણનું અન્ય કારણ તે પરમાણુ જ છે. તે સૂક્ષમતમ છે. ભૂતમાં હતો, વર્તમાનમા છે, અને ભવિષ્યમાં રહેશે. તે આંખ અગર અન્ય કોઈ પાર્થિવ સાધન–પ્રસાધનથી દેખી
SR No.011520
Book TitleJain Darshan nu Padarth Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy