SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ એક માત્ર પુદગલ દ્રવ્યને જ પર્યાય સ્વરૂપે છે. તે બધામાં મૂળ દ્રવ્યરૂપે તે પુગલવ્ય જ છે. જ્ઞાની પુરુષોએ દરેક રૂપી પદાર્થ (પુદ્ગલ)ને વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ એ ચારે યુક્ત કહ્યા છે તે બરાબર છે. છસ્થ મનુષ્ય દ્વારા થતા પદાર્થ વિજ્ઞાનના આવિષ્કારે માત્ર પુદ્ગલ દ્રવ્યના જ હોઈ શકે. તેમાં પણ ગમે તેવી સતેજ ઇંદ્રિવાળા પ્રાણને પણ બિલકુલ ઈદ્રિયગ્રાહ્ય ન થઈ શકે તેવા અતિ મૂન વર્ષાદિયુક્ત અવસ્થા સવરૂપે વર્તતા યુગલવ્યને આવિષ્કારિત કરવાની શક્તિ છદ્મસ્થ મનુષ્યમાં હૈઈ શકતી નથી. અને તેથી જ દૃશ્ય જગતનું ઉપાદાન કારણ, સર્વજ્ઞદર્શન સિવાય અન્ય કોઈ દશનમાં કે છાઘસ્થિક વિજ્ઞાનમાં ઉપલબ્ધ થઈ શકતું નથી. તે પછી અરૂપી પદાર્થોના વાસ્તવિક અને સંપૂર્ણ સ્વરૂપના ખ્યાલને તે સર્વજ્ઞદર્શન સિવાય કયાંથી પ્રાપ્ત કરી શકાય ? અહિં આ કથન સર્વજ્ઞદર્શન પ્રત્યેના દષ્ટિરાગથી નથી. પણ સત્યની ગષણ પૂર્વકનું અને બુદ્ધિગમ્ય છે. જૈનદર્શનના દ્રબાગના આ પુસ્તકને પૂર્વગ્રડના ત્યાગ પૂર્વક સાત વાચનારને તે અવશ્ય સમજાશે. ય જગતનું ઉપાદાને કારણે પરમાણુ હોવા છતાં પણ ફક્ત એક જ પરમાણુ દશ્ય વિવનું ઉપાદાનકારણ બની શકતા નથી. કેટલી સંખ્યા પ્રમાણ અણુસમૂહ સ્વરૂપે બની રહેલ પુદગલ પદાર્થ, દશ્ય જગતનું પ્રારંભિક ઉપાદાન કારણ હોઈ શકે તેની વિસ્તૃત સમજ સર્વદર્શનમાં કહ્યા મુજબ આગળ વિચારાશે, પરંતુ બધા પ્રાણીઓને ઇંદ્રિયગશ્ય બની શકતી
SR No.011520
Book TitleJain Darshan nu Padarth Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy