SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ છે. તે સૂધ્યા બાદ જ એક બીજાથી પ્રેમ કરે છે. તે સૂંઘવા દ્વારા જાણી લે છે કે તે આપસમાં પિતાના વંશના છે કે બીજાના વંશના છે. વળી સાંભળવાની ઇન્દ્રિય પણે કુતરાને બહુ તેજ હોય છે. એક કુતરું તે, મનુષ્યની અપેક્ષા દશગણું અધિક દૂરથી સાભળી શકે છે. કેટલેક ઠેકાણે ચેરના સગડ, હોશિયાર પગ દ્વારા પણ નહિ મેળવી શકાતાં ગુન્હાહિત જગ્યા પર કુતરાને લઈ જવાય છે. તે જગ્યાને તે કુતરું પિતાની નાસિકા વડે સૂંઘી લે છે અને ગંધને સૂ ઘતે સુંઘતે તે કુતરે, ગુન્હેગાર જ્યાં હોય છે ત્યાં સુધી પહોંચી ગધ વડે તે ગુન્હેગારને ઓળખી લઈ આપણને બતાવી દે છે. આ રીતે જાન્યુઆરી સન ૧૯૬૪માં “ડર્મન પ્રિન્સર જાતની જર્મની વંશની કતરી બ્લેકીએ રતલામ–ગોધરા વિભાગ રેલ્વે લાઈનના પાટાથી શિશ્લેટ કાઢનારને સફળતાપૂર્વક શોધી કાઢયે હતું. આ કુતરી મુંબઈ રેલ્વે પિલીસખાતા પાસે છે. આ સમાચાર અમદાવાદથી નીકળતા દૈનિક પત્ર સંદેશમાં પ્રગટ થયા હતા. આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે કેટલાક પદાર્થોમાં રહેલ વર્ણદિને આપણે જાણી શકતા નહિ હોવા છતાં અન્ય પ્રાણીઓ કે જેને જે ઈન્દ્રિય જે વિષયગ્રાહ્યમાં વધુ સતેજ હોય છે, તેને તે વિષય જલ્દી ઇન્દ્રિયગ્રાહ્ય બને છે. વાયુ આપણું શરીરને સ્પર્શે છે, ત્યારે તેના શીત યા ઉkણ સ્પર્શને આપણને ખ્યાલ આવે છે. પણ તેના રૂપનો
SR No.011520
Book TitleJain Darshan nu Padarth Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy