________________
४४
માત્ર ત્યક્ત કેઈ એક શરીરમાંથી જ બનેલી હોય છે. કેઈ ખનીજ પદાર્થ, પાણી, વનસ્પતિ વગેરે, એકેન્દ્રિય જીનાં ત્યકત શરીરે છે. આવા ત્યકત શરીરરૂપ પદાર્થોથી ચા બેઇંદ્રિય, તેઇદ્રિય, ચઉરિદ્રિય, પશુ, પક્ષી આદિના ત્યકત શરીરિના કેટલાક અવયવમાંથી જે લેપચેગી સામગ્રી વિવિધ મનુષ્યદ્વારા નિર્માણ કરાય છે, તે સામગ્રીઓ પુદ્ગલદ્રવ્યના જ તેવા પ્રકારના પર્યાયે હોઈ તેના નિર્માણ કરનાર મનુષ્ય સિવાય પણ અનેક જીના ઉપયોગમાં આવતી સામગ્રીના દૃષ્ટાંતરૂપે છે.
શરીરાદિ સામગ્રીનું નિર્માણ સંસારીજીવ, કેવા પ્રકારના પર્યાયને પામેલ પુગલદ્રવ્યમાંથી અને કેવા પ્રકારના કર્મસ્વરૂપને પામીને કેવી રીતે કરે છે, તેની સ્પષ્ટ સમજણ જૈનદર્શનકારેએ અતિ વિસ્તૃત સ્વરૂપે વર્ણવેલ છે. આવા પ્રકારની સમજના અભાવે જ કેટલાંક જૈનેતર દર્શને, સૃષ્ટિ નિર્માણમાં ઈશ્વરકવવાદની માન્યતાવાળાં બની રહે છે.
મુક્તજીને ઉપરોક્ત શરીરાદિની તેમજ અન્ય સંસારપગી પૌગલિક સામગ્રીની આવશ્યકતા છે જ નહિ. જેથી તેવી સામગ્રીને ઉત્પન્ન કરવામાં નિમિત્તરૂપે બનનાર કર્મપગલેનો સંબંધ પણ તેમનામાં હોતું નથી. મુક્તપણાની સ્થિતિમાં આત્માને પરપદાર્થોને સંગ હોતું નથી. તે આત્મા પિતાના સ્વભાવમાં જ પરિણમી રહે છે. તેથી તેને કોઈપણ પ્રકારની ઉત્સુકતા હોતી જ નથી. મેરૂની માફક તે સ્વભાવે અડેલ અર્થાત્ સ્થિર હોય છે. વિભાવમાં પરિણમ