SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ આ વ્યાખ્યાનુસાર જગતમાં ૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય, ૪ જીવાસ્તિકાય, પ પુદંગલાસ્તિકાય અને ૬ કાળ, એ છ જ દ્રવ્ય (મૂળભૂત પદાર્થો) ત્રિકાળ વિદ્યમાન છે. એ છ સિવાય કોઈ સાતમો પદાર્થ, જગતમાં કદાપિ હોઈ શક નથી. મૂળભૂત દ્રવ્યના કેટલાક પર્યાને પણ આકૃતિ વિશેષ અને ગુણ વિશેષના આધારે વ્યવહારમાં “દ્રવ્ય” કહેવાય છે. જેમ કે વસ્ત્ર, પાત્ર, અનાજ, એનું રૂપું, પથ્થર, પાણી ઇત્યાદિ. વાસ્તવમાં એ સર્વ મૂળભૂત પદાર્થ નહિ હેતાં પુદ્ગલદ્રવ્યના પર્યા જ છે. એટલે તેને આપેક્ષિક દ્રવ્ય કહી શકાય. જગતમાં જે કઈ ઇંદ્રિયગમ્ય પદાર્થો છે, તે સર્વ પદ્ગલદ્રવ્યના વિવિધ સંજ્ઞાઓથી ઓળખાતા પર્યાયે જ છે. તેને આપેક્ષિક ભાવે ભલે પદાર્થ કહેવાય, પરંતુ વાસ્તવમાં તે પુદ્ગલદ્રવ્યના કમભાવી પરાવર્તન ધર્મરૂપ પર્યાચો જ છે. ઉપરોક્ત છ મૂળભૂત દ્રવ્યમાં (૧) ધર્માસ્તિકાય દ્રવ્ય તે છે કે જગતમાં ગતિપરિણામે પરિણમેલા (હલનચલનની ક્રિયામાં પ્રવર્તતા) જીવન અને પુદ્ગલેને સહાય આપે છે. જીવ અને પુદ્ગલેની ગતિકિયા તે સ્વયં શક્તિથી જ થાય છે. નહિ કે ધર્માસ્તિકાયની પ્રેરણાથી. પરંતુ તે ગતિક્રિયામાં સહાયક તે ધર્માસ્તિકાય જ છે. સ્વયં શકિત હોવા છતાં પણ ધર્માસ્તિકાયની સહાય વિના જીવ અને પગલે ગતિ કરી શકતાં નથી. આ ધર્માસ્તિકાય દ્રવ્ય તે રૂપ-રસ–ગધ અને સ્પર્શ રહિત હોવાથી ઇંદ્રિયને અગમ્ય છે. ક્ત કેવલી
SR No.011520
Book TitleJain Darshan nu Padarth Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy