________________
૨૨૭
અનુસરીને છે. કેઈપણ જીવની કોઈપણ પ્રકારની ભવિતવ્યતા, તે જીવના પોતાના જ પુરૂષાર્થ સિવાય કેઈને પણ પ્રગટ થઈ નથી, અને થવાની પણ નથી.
છદ્યસ્થ જીવને ભવિતવ્યતાને ખ્યાલ પ્રાપ્ત કરી– શકવાનું સાધન, માત્ર પુરુષાર્થ જ છે. વર્તમાન પ્રારબ્ધ (ભવિતવ્યતા) તે પૂર્વકૃત પુરૂષાર્થનુ ફળ છે. અને વર્તમાન પુરૂષાથે તે ભવિષ્યના પ્રારબ્ધ (ભવિતવ્યતા)નું સૂચક છે.
પુરુષાર્થ કરવામાં જીવ પોતે સ્વતંત્ર છે. પરંતુ સ્વછાનુસાર પુરૂષાર્થમાં પ્રવર્તાવા સમયે શેષ ચાર સમવાય કારણે તે સ્વયં જરૂર વર્તતાં જ હોય છે. એટલે તે સમયે પુરૂષાર્થની મુખ્યતા અને અન્ય કારણોની ગૌણતા ભલે દેખાય, પરંતુ કેવળ પુરૂષાર્થથી જ કાર્ય થયું છે, એમ માનવું અગ્ય છે. જીવનો પુરૂષાર્થ તે ભવિતવ્યતાને અનુકૂળ જ પ્રવર્તતે હોઈ જીવને પુરૂષાર્થને અહંભાવ નહિં કરવું જોઈએ.
આધ્યાત્મિક વિકાસમાં પણ ભવિતવ્યતા જ બળવાન છે. ભવિતવ્યતા હશે તે પુરૂષાર્થ થશે, એ સિદ્ધાન્તાનુસાર કેટલાક જીવે પુરૂષાર્થ પ્રત્યે ઉપેક્ષાવૃત્તિવાળા બની રહે છે. ભરતું તેવા પિતાની અવસ્થાને પુરૂષાર્થ રહિત માનવામાં ભૂલ કરે છે. કારણ કે વીર્ય (ગ-ઉત્સાહ-બળરકમ) એ જીવ માત્રને ગુણ છે. આ વીર્યગુણદ્વારા દરેક જીવને કેઈ પણ પ્રકારનો સ્થૂળ યા સૂમ પુરૂષાર્થ
અવશ્ય પ્રવર્તતે જ હોય છે. એટલે પુરૂષાર્થ પ્રત્યે ;