SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ 3 પ્રારબ્ધના ખેલ લગભગ દરેક માણસ માટે નજરે જોયેલે અહેવાલ હોય છે. માણસનું ભાગ્ય ક્યારે પલટા લેશે, સુખ અને દુઃખના તડકા-છાંયામાંથી પસાર થઈ રહેલ માનવ જીવનમાં ક્યારે સુખની શીતલતા કે દુઃખને દાવાનલ આવી પડશે, તે કઈ જાણતું નથી. એટલા માટે જ ભાવિની વિચિત્રતા રસમય કહી છે. આ ભાવિ, માણસના કર્મમાંથી સરજાય છે. જીવની માનસિક-વાચિક અને કાયિક પ્રવૃત્તિથી, બ્રહ્માંડમાં અદશ્યરૂપે રહેલ, સૂક્ષ્માતિસૂક્ષમ અમુક પ્રકારની રજકણોને સમુહ આકર્ષાઈ જીવના આત્મપ્રદેશ સાથે ક્ષીરનીરવત્ સંલગ્ન બની જાય છે. સંલગ્ન બની રહેલાં તે રજકણસમૂહમાં તે સમયે જ વિવિધ સ્વભાવનું નિર્માણ થાય છે. તે સમયે તેજ જીવના માનસિકપણે વર્તતા કામ–કૈધાદિ કષાયની પ્રચુરતા યા મંદતાના હિસાબે તે રજકણેના નિમિત સ્વભાવમાં તીવ્રતા યા મંદતો પરિણમે છે. અર્થાત્ સ્વભાવની તાકાત–પાવર ઉદ્ભવે છે. પ્રતિસમય ઉપર મુજબ આત્માની સાથે સંલગ્ન બની રહેતાં તે રજકણોનો સંબંધ, આત્મપ્રદેશ સાથે કેટલા ટાઈમ સુધી સંબંધરૂપે રહી શકશે ? અને તે સંબંધિત બની રહેવાના કાળ દરમ્યાન, સંબંધિત બની રહ્યાના પ્રારંભથી કેટલે ટાઈમ વ્યતીત થયા બાદ, પિતાના સ્વભાવની તીવ્રતા ચા મંદતા મુજબ જીવને ફળદાતા બનવાનું શરૂ કરશે?તે તમામ હકીકતનું નિર્માણ તે સંબંધિત બની રહેવાના સમયે
SR No.011520
Book TitleJain Darshan nu Padarth Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy