SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૯ મું કાર્યોત્પત્તિમાં પાંચ સમવાય કારણે જગતમાં દરેક કાર્યોની ઉત્પત્તિ, કાળ વિગેરે પાંચ સમુચ્ચય કારણોથી જ થાય છે. પાંચ કારણોમાંથી એક કારણની પણ ન્યૂનતાએ કાર્યની ઉત્પત્તિ થઈ શકતી નથી. કાર્યસિદ્ધમાં વર્તતાં તે પાંચકારણને સમવાય (સમુચ્ચય) કારણ કહેવાય છે. કેવળ મોક્ષપ્રાપ્તિમાં જ અર્થાત્ જીવને કર્મસંબંધથી સર્વથા મુક્ત થવામાં યા આત્માની સ્વાભાવિક દશા પ્રાપ્ત કરવામાં જ, એ પાંચેનું સમુચ્ચયપણું છે. એટલું જ નહિં, પણ જગતના સર્વ કાચની ઉત્પત્તિમાં એ પાંચે કારણો વર્તે છે. એ પચે કારણે નીચે મુજબ છે. (૧) કાળ (૨) સ્વભાવ (૩) નિયતિ અર્થાત્ ભાવિભાવ (૪) પૂર્વ કિયા અને (૫) પુરૂષાર્થ. આ પાંચે કારણે પૈકી કયારેક કેઈ એક કારણની મુખ્યતા હોય છે, તે ચાર કારણોની ગૌણતા હોય છે. એટલે જે કારણની મુખ્યતા વર્તતી હોય તે કારણથી કાર્ય – સિદ્ધિ થઈ એમ વ્યવહારથી ભલે બેલાય, પણ તે એક મુખ્ય કારણ ઉપરાંત, તે સમયે અન્ય ચારકારની ગૌણ પણે પણ, વિદ્યમાનતા તે અવશ્ય હોય છે.
SR No.011520
Book TitleJain Darshan nu Padarth Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy