SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯o પદાર્થો ઉપરાંત પણ સૂફમાતિસૂમ પુગલ પદાર્થોનું અસ્તિત્વ આ વિશ્વમાં અવશ્ય છે. અને તેવી અવસ્થાવંત પૈકીની જ કેટલીક પદ્ગલિક જાતે આ દશ્યજગતનું ઉપાદાન કારણ છે. આવી ઉપાદાન કારણની યોગ્યતાવાળી પુદ્ગલની જાતને “ગ્રહણ વર્ગણ તરીકે દર્શાવી તે સિવાયની શેષ જાતને “અગ્રહણ ચગ્ય” અર્થાત્ દશ્ય વિશ્વની રચનામાં ઉપયોગી બની શકવાની અયોગ્યતાવાળી દર્શાવી છે. માટીતેમાંથી ઘડે બને તે પણ અમુક રીતે તૈયાર બની રહેલ માટી જ ઘડાની રચનામાં ઉપગી થઈ શકે. તેવી રીતે દશ્ય– જગત, પુદ્ગલસ્વરૂપ હોઈ તેનું ઉપાદાન કારણ પણ પુદ્ગલ સ્ક જ છે. છતાં અમુક અવસ્થા પ્રાપ્ત યુગલ સ્કંધે જ દશ્ય જગતની રચનામાં ઉપયોગી બની શકે. અન્ય પુદ્ગલ સ્ક ઉપગી બની શકતા નથી. આવી ગ્રહણ એગ્ય અને અગ્રહણ ચગ્ય એમ બને પ્રકારની પુદગલ સ્કંધની જાતનું વગીકરણ ૨૬ પ્રકારે કરી તેને છવ્વીસ મહાવર્ગણ તરીકે બતાવેલ છે. એક એક પરમાણુ સ્વરૂપે સ્થિત યુગલની એક વગણ (જાત), ત્યારબાદ એક એક અણુની વૃદ્ધિવાળી સંખ્યાયુક્ત અણુસમૂહ સ્વરૂપસ્ક ધોવાળી અન્ય અન્ય વણાએ (પુદગલની જાતે) બની રહેલ હોય છે. એ રીતે એક એક આણુની વૃદ્ધિએ અમુક સંખ્યા પ્રમાણુ અણુસમૂહની વૃધિવાળા સ્કંધવાળી વગણ સુધીની તમામ વર્ગણાને સમુહ, એક મહાવર્ગણ સ્વરૂપે ઓળખાય છે. તે પહેલી મહા
SR No.011520
Book TitleJain Darshan nu Padarth Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy