SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ જીવને આ તૈજસ શરીર તે સાથે જ હોય છે. કારણ કે પરભવમાંથી આવતાં જ પહેલાસમયે આહારને લાયક સામગ્રીને પાચન કરવાની શક્તિ તે જીવને પોતાની પાસે જ હોવી જોઈએ. આ સામગ્રી તે જ તૈજસ છે. આત્માની સાથે એકાકાર થયેલ આઠકમની અનંત વર્ગણના પિંડનું નામ “કાર્પણ શરીર છે. પ્રકૃતિ-વિધિદૈવ વગેરે વિવિધ સંજ્ઞાથી વિશ્વમાં પ્રચલિત અને વિવિધ સ્વભાવધારક તથા આત્માની સાથે સંબંધિત બની રહી આત્માને સંસારમાં વિવિધ અવસ્થા રૂપે બની રહેવામાં નિમિત્તભૂત એ કર્મસમૂહ-કર્મપિંડતે જ કાર્પણ શરીર છે. કામણ શરીર એ અવયવી છે, અને તેમાં વિવિધ સ્વભાવી સંજ્ઞાધારક વિવિધ વિભાગે તે કામણ શરીરના અવયવે છે. આ વિવિધ અવયનાં કારણે જ એકના એક સંસારી જીવન જીવનમાં તથા અલગ અલગ જીવની બાહા તથા આંતરિક અવસ્થામાં ભિન્નતા સર્જાય છે. બધાં શરીરની પ્રાપ્તિનું નિમિત્તકારણ કાર્મણ શરીર જ છે. કાશ્મણ શરીરના સંબંધ વિનાને જીવ કેઈ પણ શરીરની પ્રાપ્તિ કરી શકે જ નહિ, કારણ કે કામણ શરીર તે કર્મ સ્વરૂપ છે, અને કર્મ જ સર્વ સંસારી અવસ્થાનું નિમિત્ત કારણ છે. શરીર પ્રાપ્તિનું નિમિત્ત કારણ “કામણ શરીર હોવા છતાં અવયવી રૂ૫ સમગ્ર કાર્પણ શરીર તેમાં નિમિત્ત કારણ
SR No.011520
Book TitleJain Darshan nu Padarth Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy