SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ પિગૅમસ કહેવાય છે. એ યંત્ર દ્વારા માનવશરીર ભારે દક્ષતાપૂર્વક કામ કરે છે. એ યંત્ર, શરીરની અંદર પ્રત્યેક અંગની આવશ્યકતા અનુસાર તાપમાન બનાવી રાખે છે. સાથે સાથે તાપમાનને સંતુલનામાં રાખે છે. પરંતુ જ્યારે શરીરમાં એ “હાઈ પોથેલેમસના હાથ બહારની વાત થઈ જાય છે, ત્યારે એ તાવ દ્વારા સૂચન આપે છે કે શરીર પર શત્રુઓનું આક્રમણ થયું છે. એટલે તેને બહારથી આવશ્યક સહાય પહોંચાડવામાં આવે છે. આ રીતે શરીરશાસ્ત્રીઓએ કહેલી હકીકતમાં હાઈ પિથેલેમસ તે જ જૈનદર્શન કથિત તૈજસ શરીરની હકીકતને મળતી હકીકત કહી શકાય. પામેલ પ્રાણુના બાહા શરીરમાં તૈજસ શરીર હતું જ નથી. મૃત્યુકાળના અમુક ટાઈમ પહેલાં તેના બાહા શરીરના અવ રૂપ હાથપગમાં ફેલાયેલતૈજસ શરીરરૂપ ગરમી ધીમે ધીમે હટવા માંડે છે હાથ પગ ઠંડા પડે છે, ત્યારે મરનારના સંબંધીએ સમજી શકે છે કે મૃત્યુ નજીક છે. શરીરમાંથી જીવ ચાલ્યા જાય છે એટલે શરીરના કેઈ પણ ભાગમાં લેશ માત્ર ગરમી રહેતી નથી. તેજસ શરીરમાં અપચય અને ઉપચય તે થયા જ કરે છે. બાળક જેમ મોટું થતું જાય છે, તેમ તેમ તેનું તૈજસ શરીર, આખા શરીરમાં નવાં નવાં તૈજસ પુગેલેથી બનતું રહી શરીરમાં ફેલાતું જાય છે. આ તેજસશરીરરૂપ અગ્નિને અપચય કે ઉપચય થવામાં નિમિત્તભૂત ભલે અન્ય હોય, પરંતુ પરભવથી આવતા
SR No.011520
Book TitleJain Darshan nu Padarth Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy