SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ નથી. સને ૧૫૮ ના માર્ચ માસમાં અમેરિકાના ન્યૂયેક શહેરમાં સૂર્યકિરણેથી ચાલતી મોટરનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ગાડી ઉપર એક એવી મોટી બેટરી જોડવામાં આવી હતી કે જેમાં સૂર્ય કિરણો સ્થગિત થઈ તેની શક્તિ દ્વારા મોટરને ગતિ આપે. આ રીતે સૂર્યનાં કિરણો સ્થગિત કરવાના અને તેના દ્વારા વીજળી ઉત્પન્ન કરવાના પ્રયોગો સિદ્ધ કરવા માટે આધુનિક વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં પણ પ્રયત્ન શરૂ થયા છે. તેમ છતાં સૂર્ય શું છે? તેનાં કિરણો જ્યાંથી નીકળે છે તે સ્થાન શીતસ્પશી છે અને દૂર દૂર પ્રસરે છતે તે ઉસ્પશી બને છે, એ હકીકત આધુનિક વિજ્ઞાન હજુ સમજી શક્યું નથી. વર્તમાન વૈજ્ઞાનિકે સમજી ન શકે તેથી કંઈ તે હકીકત અસત્ય ઠરતી નથી. કારણ કે સૂર્ય અંગેની આધુનિક વિજ્ઞાને કથિત ઘણી માન્યતાઓ હજુ જેનદન કથિત હકીકતથી ઘણી વિપરીત છે. ધીમે ધીમે તેમની તે માન્યતાઓ સદા એક સ્વરૂપે નહિં રહેતાં બદલતી જ રહે છે, એ જ તેમની માન્યતાને અપૂર્ણ ઠેરવે છે. તેમની તે માન્યતાઓનું વિજ્ઞાનિક ક્ષેત્રમાં પણ કેવું પરિવર્તન થતું રહ્યું છે, તે હકીક્ત વિસ્તૃત રીતે લખતાં આ લેખ ઘણો લાંબો થઈ જાય. વળી અહિં તે આપણે સૂર્યકિરણોના પ્રકાશને પદાર્થ સ્વરૂપે જ સિદ્ધ કરવાનું હોઈ બીજી હકીકત લખતાં વિષયાંતર થઈ જાય. એટલે અન્ય વિષય પર દષ્ટિપાત નહિં કરતાં ઉપરોક્ત દતિ સૂર્ય ચિકિત્સાદિનું વર્ણન ઠાશ સૂર્ય કિરણોના પ્રકાશને પગલપદાર્થની અવસ્થા રૂપ જ સિદ્ધ કર્યું છે. બાકી આધુનિક વિજ્ઞાન ભલે ગમે તે માને, પરંતુ સૂર્ય
SR No.011520
Book TitleJain Darshan nu Padarth Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy