SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ છે. અને તે અમુક દૂર ગયા બાદ ભેદાય છે. ભેદાએલાં તે ભાષાદ્રવ્ય સંખ્યાતા જન સુધી જઈને શબ્દ પરિણામને. ત્યાગ કરે છે. જેથી ત્યારબાદ તેનું શબ્દ સ્વરૂપે અસ્તિત્વ રહેતું નથી. અને જે આરોગ્યાદિ ગુણયુક્ત અને તથાવિધિ આદરભાવથી તીવ્ર પ્રયત્નવાળ વક્તા તે ભાષા દ્રવ્યને ગ્રહણ કરવાના અને મૂકવાના પ્રયત્નમાં અનેક ખંડ કરીને મૂકે છે. તે વક્તા પ્રથમથી જ જે ભાષાદ્રિને મૂકે છે, તે સૂક્ષ્મ અને ઘણાં હેવાથી ઘણાં અન્ય દ્રવ્યોને વાસિત કરે છે. અર્થાત્ ઠેઠ ચૌદ રાજકના અંત સુધી રહેલ ભાષાવર્ગણાના પુદ્ગલ ઉપર તે બેલાયેલા શબ્દોની અસર થાય છે. એટલે જેમ પાણીમાં એક ઠેકાણેથી ઉત્પન્ન થયેલે તરંગ નવા તરંગ ઉપજાવે છે, તેમ અહિં પણ ભાષાના તરંગે થઈને લોકાન્ત સુધી ફેલાય છે. અને ફેલાયેલાં તે ભાષાના તરંગે પૈકી કેટલાક તરંગે ઓછામાં ઓછા બે સમય સુધી તથા વધુમાં વધુ અસંખ્યાતા સમય સુધી પણ ભાષાપણે રહે છે. અહિં પ્રશ્ન એ ઉભવે કે તીવ્ર પ્રયત્નવાળા વક્તાએ છેડેલાં ભાષાપુદ્ગલે ઠેઠ લેકાન્ત સુધી ફેલાતાં હોવા છતાં— પણ વક્તાની નજીકમાં રહેલાને જેમ સંભળાય છે, તેમ બ્રહ્માંડમાં સર્વને કેમ સંભળાતાં નથી ? તેનું સમાધાન એ છે કે જીવને શ્રોત્રેનિદ્રયદ્વારા જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગથી આવેલા શબ્દ સંભળાય છે, અને ઉત્કૃષ્ટથી, નહિં છેદાએલાંઅવ્યવહિત–અન્ય શબ્દ વડે અથવા વાયુ વગેરેથી જેની શક્તિ હણાઈ નથી એવાં બાર
SR No.011520
Book TitleJain Darshan nu Padarth Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy