SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ છે. એ દિવનિના સ્કંધ એટલા બધા સૂફમ છે કે આપણે તેને આંખથી જોઈ શકતા નથી. પણ તેના વડે થતા કાર્યોથી આપણે તેનું અસ્તિત્વ માનીએ છીએ. ગ્રામફેનની રેકર્ડથી આપણે સમજી શકીએ છીએ કે શબ્દસ્વરૂપ પુદ્ગલ સ્કંધને બીજા પદાર્થ ઉપર સંસ્કારીત પણ કરી શકાય છે. અને તેથી જ સંસ્કારીત શબ્દો આપણે ફરીફરીને પણ સાંભળી શકીએ છીએ. શ્રોત્રેન્દ્રિય ગ્રાહ્ય બની શકવાની શક્તિધારક તે પુગલસ્કને આપણે વનિ સંજ્ઞાથી પણ ઓળખીએ છીએ. દવનિ યા શબ્દ સંજ્ઞાને પ્રાપ્ત તે પુદગલમાં રહેલ શ્રોત્રેન્દ્રિય ગ્રાહ્ય થવાની ગ્યતા, તે તેની મુખ્ય શક્તિ છે. કારણ કે પુદ્ગલ દ્રવ્યના અનેક પરિણામમાં માત્ર શ્રોત્રેન્દ્રિયગ્રાહ્ય પરિણામ તે શબ્દ જ છે. શબ્દ એ શ્રોત્રેન્દ્રિયને વિષય હેઈ, શબ્દનાં આણુએ કર્ણ ઉપર ઉપઘાત કરે છે. અને ગંધ પદાર્થોની માફક વાયુના અનુકૂળપણાને લઈને ફેલાય છે. જીવની શબ્દગ્રહણ શક્તિને શબ્દનાં પગલે કેવી રીતે અભિવ્યકત કરે છે, તે અંગે જૈન શા કહે છે કે શરીરને લાગેલી ધૂળની પેઠે સ્પર્શ માત્રને પ્રાપ્ત થયેલા અને નિવૃત્તિ ઈન્દ્રિયમાં પ્રવેશેલા શબ્દને જ જીવ સાંભળે છે. તે જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ દૂરથી આવેલા અને ઉત્કૃષ્ટથી આર એજન દુરથી આવેલા. નહિં છેદાયેલા, તથા અન્ય શબ્દો વડે અગર વાયુ વગેરેથી જેની શક્તિ હણાઈ નથી એવા શબ્દોને સાંભળે છે બાર એજનની આગળ આવેલા
SR No.011520
Book TitleJain Darshan nu Padarth Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy