________________
३४०
-
-
-
જૈન દર્શનને કર્મવાદ ક્રિસ્થાનિક રસ અને પાપપ્રકૃતિઓને ચતુઃસ્થાનિક રસ બંધાય છે.
અહીં જે એક સ્થાનકાદિ રસબંધમાં કારણભૂત હિપ્ત અને નિર્મળ પરિણામની હકિકત કહી તે અનંતાનુંબંધી આદિ ચાર કષાયની અપેક્ષાએ કહી છે.
તે પરિણામમાં કારણભૂત તે તે કષાયની પણ મંદતા કે તીવ્રતાના હિસાબે તે તે કષાયને અનુલક્ષીને બંધાતા એક સ્થાનકાદિ રસમાં પણ જે મંદતા કે તીવ્રતા હોય છે તે હકિકત હવે સ્પષ્ટપણે વિચારીએ. કારણ કે એકસ્થાનકાદિ પ્રત્યેક રસબંધ પણ અનેક પ્રકારનો છે.
સ્થિતિબંધ અને રસબંધનો આધાર કષાય હોવાથી અનંતાનુબંધિ કષાયના ઉદય વડે સઘળી અશુભ પ્રકૃતિઓને ચત સ્થાનિક રસ, અપ્રત્યાખ્યાનાવરણય કષાયવડે ત્રણ ઠાણી રસ પ્રત્યાખ્યાનાવરણીય કષાયવડે બેઠાણ, અને સંજવલન કષાયવડે એકસ્થાનને રસ બંધાય છે. શુભ પ્રકૃતિઓને રસ એથી વિપરીત રીતે બંધાય છે. એટલે કે અનંતાનુબંધી કષાયના ઉદયવડે પુન્ય પ્રકૃતિએને બેઠાણી, અપ્રત્યાખ્યાનાવરણીય કષાયવડે ત્રણઠાણ, પ્રત્યાખ્યાનાવરણય કષાયવડે અને સંજવલન કષાયવડે ચેઠાણિયા
રસ બંધાય છે. પણ એમાં વિશેષતા એટલી છે કે : સંજવલન કષાચવડે તીવ્રચોઠાણીચોરસ બધાય છે.
જે જે કષાયોના ઉદયે શુભાશુભ કર્મપ્રકૃતિઓને