________________
૧૯૦
જૈન દર્શનને કર્મવાદ
જીવ આધ્યાત્મિક દૃષ્ટિએ મનાતા હિતને અહિત સમજે અને અહિતને હિત સમજે, યથાર્થ તત્ત્વની રૂચિવાલે ન બને, તે કર્મ દલિને મિથ્યાત્વ દર્શન મેહનીય કર્મ કહેવાય છે.
અનાદિકાળથી સંસાર પરિભ્રમણમાં એકાદ વખત પણ સમ્યકત્વ પ્રાપ્ત ન થયું હોય તેવા જીવોને તે ફક્ત મિથ્યાત્વ દર્શનમોહનીય કર્મ જ હાય. •
તે મિથ્યાત્વ મોહનીયના દલિમાંથી અમુકની મિશ્ર મેહનીયરૂપે અને અમુકની સમ્યક્ત્વ મેહનીયરૂપે સ્વભાવ પ્રાપ્તિ તે, એકાદ વખત સમ્યફ વ પ્રાપ્ત જીવમાં જ હાઈ શકે છે. દર્શન મોહિનીય કર્મદલિકેના આ ત્રણ ભાગને -ત્રણjજ કહેવાય છે. મિથ્યાત્વ દર્શન મોહિનીયનું પુંજ તદ્દન અશુદ્ધ, મિશ્રદર્શનમોહનીયનું પુજ અદ્ધશુદ્ધ અને સમ્યકત્વ દર્શન મેહનીયનું પુંજ શુદ્ધ છે. અનાદિ મિથ્યાત્વીને તે અશુદ્ધ પુંજનો જ ઉદય વર્તે છે. અને સત્તાગત દલિકે પણ મિથ્યાત્વ મેહનીયરૂપે જ હોય છે.
મિથ્યાત્વ મોહનીય કર્મના તીવ્ર રસને જૈનશાસ્ત્રમાં કઠીન અને ભીષણ ગ્રન્થી (ગાંઠ) તરીકે જણાવેલ છે. મિથ્યાત્વના આ તીવ્ર રસને બેડી નાખી એકદમ મંદ પાડી નાખવાના કાર્યને “ગ્રન્થીભેદ” કહેવાય છે. ગ્રન્ચિ ભેદ કરવામાં વર્તાતા આત્મપરિણમને જિનપરિભાષાએ “પૂર્વન” કહેવાય છે. આ ગ્રન્થિભેદ કર્યા સિવાય સમ્યકત્વ પ્રાપ્ત થઈ શકતું નથી. ગ્રન્થિભેદને ચગ્ય અપૂર્વ આત્મ સામર્થ્ય તેજ આત્મા કરી શકે કે જે આત્માને