________________
૪૩
બિંદુના આશ્રયે જ સુખ-શાંતિ પ્રાપ્ત કરવાની આશાવાળે છે. એને ખબર નથી કે તેની એ આશા ઝાંઝવાના જળ જેવી. અને પાણી લેવી માખણ પ્રાપ્ત કરવા જેવી છે.
ભૂતકાળમાં ભારતની ભૂમિ પર પૌગલિક આવિષ્કાર: સ્વરૂપે અનેક પ્રકારનું પદાર્થવિજ્ઞાન પ્રવર્તતું હોવા છતાં,. તે વિજ્ઞાનને જીવનમાં ઉપયોગી બનાવનાર માનવની દ્રષ્ટિ (લય) કેવળ શારીરિક અનુકૂળતા ઉપર જ ન હતી. આત્મિકશુદ્ધસ્વરૂપ પ્રાપ્તિને અને તેના સુખને જ તે અભિલાષી હતે. રૂપરંગ-રસ કે સ્પર્શની અનુકૂળતા અનુભવવા સમયે, પણ, આત્મિક દ્રષ્ટિનો ઉપયેગી હતે. શારીરિક કે અન્ય કઈ પણ પ્રકારની પૌગલિક અનુકૂળતાને જીવનના સાધ્ય તરીકે નહિ સ્વીકારતાં સાધનસ્વરૂપે સ્વીકારતે. સાધ્ય પ્રાપ્ત થયેથી સાધન ત્યાજ્ય હવાની સમજવાળે હતે. સત્ય-સંયમ–શિસ્ત, નીતિ ન્યાય તથા પ્રમાણિકતા એ તમામ મૂલ્ય આંતરધર્મમાંથી જ ઉદ્ભવતાં હોવાથી દૈહિક કરતાં આતરિક સુખપર તેનું ધ્યાન વિશેષ હતું. ભારતવર્ષની પૂર્વકાળની સંસ્કૃતિ આ પ્રમાણે હતી, જ્યારે આધુનિક વૈજ્ઞાનિક જગતે તો બાહ્યજીવનની જ પ્રીતિને સ્વીકાર કર્યો છે મન, અંતરાત્મા, ચેતના વગેરે તને એ અંશતઃ કબુલે છે, પરંતુ માનવીના ઘડતરમાં તેનું વિશેષ પ્રાધાન્ય તે સ્વીકારતું નથી. અત્યારે વિજ્ઞાનને ઝેક બાહ્ય ઉપકરણની પ્રાપ્તિ અને વૃદ્ધિ તરફ જ રહે છે. વિજ્ઞાન માને છે કે બાહ્ય સગવડોનાં સાધનો પર્યાય. પ્રમાણમાં માનવીને મળી રહે તે આંતરમનનું સુખ આપે.