________________
૩૯ જડવિષયે મારફત જ સુખ મેળવવું, એ મળે તે બહેકીને મહાલવું, ભાનભૂલા બનવું, અને ન મળે તો લાચાર એશિયાળા થવું, શરીર-ઇન્દ્રિય અને મનને જે પ્યારું હોય તેને જ ચેનકેન પ્રકારે મેળવવું, અને જે અણગમતું હોય તેને તુચ્છકારી–ધુતકારી કાઢવું, એ જ અજ્ઞાન દશા છે. અનાદિકાળથી જીવના સ્વરૂપ સાથે વણાઈ ગયેલ મિથ્યાત્વ દશામાં ચકચૂર બનેલ આત્માએ દુઃખની ખાણને જ સુખને ઈલાજ સમજી તેની મારફત સુખશાંતિ મેળવવા વલખાં મારે છે. અને એ રીતે આશામાં ને આશામાં જ મરી ફીટે છે, તે પણ તેઓનું દળદર લગીરે ફીટતું નથી.
જેમ બિચારો ભેળે હરણ નાભિમાં જ ખુશબોદાર કસ્તુરી હોવા છતાં તેને અજાણ હોઈ તે કસ્તુરી મેળવવા ચારે બાજુ રઝળી રવડી વિટંબન પામે છે. તેવી રીતે મિથ્યાત્વ અંધકારમાં અટવાયેલ મનુષ્યને સાચું સુખ પોતાના જ આત્મામાં રહેલું હોવાને ખ્યાલ નહિં હોવાથી બહાર તે લેવા માટે દેડધામ કરે છે. પરંતુ તેથી તે તે સુખપ્રાપ્તિના બદલે દુખ પ્રાપ્તિની ગતમાં જ અથડાય છે. તેની આશા અને વિવલતા તથા અસ્થિરતા અને મલિનતા તે અવિદ્યા અને અપૂર્ણતાના સહચારી બને છે.
ઈદ્રિયોના વિષયમાં મહિત બનેલ માનવી સમ્યગૂ જ્ઞાનરૂપી અક્ષય ખજાનાને સમજી શક્તા નથી. તેવો મૂઢમતી માનવી જ્ઞાનામૃતને ત્યાગ કરીને ઈદ્રિયાર્થમાં રાગાતુર બને છે. ઈદ્રિના વિષયેની આસક્તિ તેના વિવેકને નાશ