________________
પ્રકરણ ૩ જું શાશ્વત અને સત્યમુખની સમજ
પગલિક સુખ ગમે તેટલું હોય તે પણ કેવળ કલ્પનાનું જ સુખ છે. વાસ્તવિક સુખ નથી. એવાં સુખ તે આત્માએ અનંતીવાર પ્રાપ્ત કર્યા. પણ એથી આત્મામાં કંઈ પ્રકાશ થયો નથી. તેમજ કર્મરાજાની ગુલામીએ સજેલ અંધકાર ગયે નથી. માનવીએ એવા સુખને ચાહવું જોઈએ કે જે કેવળ અચળ હોય. જે કેઈથી ઝૂંટવી કે લૂંટી શકાય નહિ. જેને કદાપિ નાશ થાય જ નહિં. આવું શાશ્વત સુખ બીજાને આધિન નથી. પરંતુ આપણા પિતાને જ રવાધિને છે. વળી તે સુખની પ્રાપ્તિ કેઈપણ જાતને પૈસાને ય ખર્ચ કર્યા વિના મફત મેળવી શકાય છે. આત્મિક સુખના નક્કર અને ચોક્કસ અનુભવી સંત પુરૂષો ફરમાવે છે કે સ સારી જીવોની સુખ–દુઃખ અંગે કલ્પના ચા માન્યતા નરદમ જૂઠી છે. વાસ્તવમાં તે સુખ જ નથી. ફક્ત મનમાન્યા સુખનો જ તે પડછા છે. આખરે તેનું પરિણામ દુઃખરૂપ છે. પરંતુ કમળાના રોગીને જેમ પેળી વસ્તુ તે પીળી લાગે, તેમ અજ્ઞાનદશાથી ટળવળતા ઘેલછાર્યા જેને સત્ય સુખનું સ્વરૂપ, મિથ્યાત્વ (તસ્વાતવનો અવિવેક) રૂપ કમળાવાળી અવસ્થામાં, ન જ સમજાય એ સ્વાભાવિક છે.