________________
ર૭
અને પાણી આ ચાર પદાર્થોને જ મૌલિક તત્વની સંજ્ઞા અપાઈ હતી. પરંતુ ત્યારબાદ તે સમજમાં એ આવ્યું કે પ્રત્યેક રાસાયણિક પદાર્થના મૂલભૂત અણુ જ પરમાણુ છે. ત્યારબાદ ટ્રેન, ન્યુટેન અને એલેકટ્ટાન એ ત્રણ મૂલભૂત અણુ મનાયાં હાલમાં તે મૂલભૂત આણુઓની સંખ્યા વધી ગઈ છે, અને ફરીને પણ વધી શકે તેમ છે. મૂળભૂત અણુઓની એ, વૃદ્ધિ, પદાર્થ મૂલ સંબંધી અમારા અજ્ઞાનની જ સૂચક છે. સાચી વાત તો એ છે કે મૌલિક અણુ શું છે ? એ હજુ સુધી સમજવામાં આવી શકયું નથી.”
આ ઉપરથી સાબિત થાય છે કે બ્રહ્માંડના સૂફમતમ ઊપાદાનની સમજ પ્રાપ્ત કરવી એ વર્તમાન વૈજ્ઞાનિક શક્તિથી અસંભવીત છે. કારણ કે આ વિજ્ઞાન તે દયજગત સુધી જ સીમિત છે. જ્યારે જૈનદર્શનના તત્વજ્ઞાન વિષય તે ઈદ્રિય પ્રત્યક્ષ પૂરને જ સીમિત નહિં રહેતાં ઈદ્રિયાતીત વિષયને પણ અવલોકીને અતિમ તત્ત્વને આધારપર જ જ્ઞાનધારાને સ્પષ્ટ કરે છે. આ જ્ઞાનધારાને સમજવા માટે એકલી તર્ક બુદ્ધિ જ કામ લાગતી નથી. એના માટે તો આંતર દષ્ટિ મેળવવી જોઈએ. એ આંતરદૃષ્ટિ તો આંતરદૃષ્ટિને પ્રાપ્ત તત્વજ્ઞાનીઓએ પ્રરૂપેલ તત્વજ્ઞાન દ્વારા જ મેળવી શકાય છે.
ભિન્ન ભિન્ન સ્વરૂપે થતું પુદ્ગલ પરિણમન યા પૌગલિક આવિષ્કાર થવામાં પરમાણુની વૃદ્ધિ અને ન્યૂન થવાની રીત, પુદ્ગલની અનંતશક્તિઓનું વર્ણન, પુદ્ગલની ૨૬ સૂકમ મહાવર્ગણાઓ, ગ્રાહ્ય અને અગ્રાહ્ય વર્ગણાઓ.