________________
પ્રકરણ ૨ જું અણુના આવિષ્કારે તરફ દૃષ્ટિપાત
જૈનદર્શનકથિત પુદ્ગલ દ્રવ્યોની કેટલીક હકીકત કે જે અન્ય કોઈ દર્શનકાર કે વિજ્ઞાનકારના અનુભવમાં કે વિશ્વાસ સ્વરૂપે પણ ન હતી, તેવી બાબતેમાંની કંઈક બાબતે આજે વિજ્ઞાનને પ્રત્યક્ષ સિદ્ધ થવા લાગી છે. તે પણ હજુ એવી ઘણી બાબત છે કે જેની પ્રત્યક્ષતાને વિજ્ઞાન અનુભવી શક્યું નથી.
પરમાણુ અને વિશ્વ નામનું એક પુસ્તક સન ૧૯૫૬ માં લંડનથી પ્રકાશિત થયું છે. તે પુસ્તકના લેખક પદાર્થ વિજ્ઞાનના અધિકારી વિદ્વાન સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક જી. એ. જેન્સ, જે. ટપ્લેટ અને જી. એ. વિટ, તે પુસ્તકમાં લખે છે કે –
“ઘણું ટાઈમ સુધી ત્રણ જ તત્વ (એલેકટન–ન્યુટોન અને પ્રોટેન) વિશ્વના સંઘટ્ટનના મૂલભૂત આધાર તરીકે માનવામાં આવતાં હતાં. પરંતુ વર્તામાનમાં તથા પ્રકારના તાનું અસ્તિત્વ હજુ પણ સંભવિત થઈ ગયું છે. મૌલિક અણુઓની આ વૃદ્ધિ બહુ જ અસંતોષને વિષય છે. અને તેથી સહેજે પ્રશ્ન ઉઠે છે કે મૌલિક તત્વનો સાચો અર્થ અમે શું કરીએ? પહેલાં પહેલાં તે અગ્નિ, પૃથ્વી, હવા