________________
વડે ત્યજાયેલ હોય છે, તે તે સ્થિતિમાં રહેલ શરીરે પણ જગતને ઉપયોગી એવી અનેકવિધ વસ્તુઓ રૂપે ય બની રહે છે. કેટલાક જીનાં શરીર જગતને કેઈપણ રૂપે ઉપયોગી નહિં રહેવાથી તેના શરીરે અન્ય રૂપાંતરે પરિણમી જાય છે. મનુષ્યનાં શરીરને બાળી નાખવામાં કે જમીનમાં દાટી દેવામાં આવે છે.
આજના વિજ્ઞાનયુગમાં પદાર્થમિશ્રણમાં જેને મૂળતા કહેવામાં આવે છે, તે પૈકી કેટલાંક તે ઉપર કહ્યા. મુજબ ભિન્ન ભિન્ન જીવવડે ત્યજાયેલ ભિન્ન ભિન્ન શરીરે, અને કેટલાંક ભિન્ન ભિન્ન શરીરના મિશ્રણરૂપે છે. તેમાં જેટલી ધાતુઓ (સોનુ-રૂપું-લેતું આદિ) છે, તે પૃથ્વીકાય જીએ ત્યજેલ શરીરે છે. જેમ કાચ તે રેતીના રસમાંથી બનેલી વસ્તુ છે. અને રેતી એ પૃથ્વીકાય જીવેનું શરીર છે. તેમાંથી જીવ ચાલ્યા જાય છે, ત્યારે રેતીરૂપે તે નિજીવ શરીરમાંથી મનુષ્ય કાચ બનાવી અનેક પ્રકારની વસ્તુઓ. બનાવે છે. એવી રીતે કપડું રૂમાંથી બને છે, એ રૂ કપાસમાંથી થાય છે, અને કપાસ એ વનસ્પતિકાયના જીવનું શરીર છે. તે જીવ વનસ્પતિકાયમાંથી મુક્ત થઈ ચાલ્યા જાય ત્યારે તે નિજીવ કપાસમાંથી નીકળતા રૂનું કાપડ બને છે. આ પ્રમાણે અતિ સૂક્ષમ રીતે વિચારતાં જગતમાંની દરેક દશ્ય વસ્ત અમુક અમુક જીના ત્યક્ત શરીર જ છે. પરંતુ તે બધું સમજવામાં જૈનદર્શન,કથિત પ્રાણીશાસ્ત્રના અધ્યયનની ખાસ આવશ્યકતા છે.