________________
૧૮
આજના વૈજ્ઞાનિક યુગમાં બુદ્ધિગમ્ય રીતે પણ જેમાં જીવ હેવાનું અનેકવિધ પ્રવેશદ્વારા સિદ્ધ થઈ ચૂકયું છે, તેવા પૃથ્વી-પાણી-અશિ–વાયુ અને વનસ્પતિમાં જીવ હોવાનો જેને ખ્યાલ કે શ્રદ્ધાય નથી, તેવાઓને તે આ વસ્તુ સમજવી કઠીન છે.
ઉપરોક્ત હકીકતથી સિદ્ધ થાય છે કે દ્રશ્ય જગત તે ઈને કોઈ જીવનું ત્યક્તશરીર, યા તે ત્યક્તશરીરનું વિવિધમિશ્રણ, યા તો મિશ્રણ રહિત અવસ્થાન્તર શરીર, ચા તે શરીરની પ્રતિછાયા અગર પ્રકાશ સ્વરૂપ છે. એટલે વિચાર ઉદ્દભવે કે એ શરીરે કઈ જાતની પુગલાવસ્થામાંથી બન્યાં? એ તત્ત્વ સમજાય તેજ આ વિશ્વનું ઉપાદાન કારણ સમજી શકાય. ઉપાદાન એટલે શું ? એ એક દષ્ટાંતથી વિચારીએ. ઘડો માટીનો બને છે. તૈયાર ઘડો હોય અગર બુટી જઈ ઠકરારૂપે પડ્યો હોય તો પણ તેમાં માટીને તે નાશ થતું જ નથી. માટે માટી એ ઘડાનું ઉત્પાદન કારણ કહેવાય. એવી રીતે આકાર યા અવસ્થામાં બદલવા છતાં પણ જે પદાર્થ, તે સર્વ આકાર યા અવસ્થામાં મોજુદ રહે છે, તે વસ્તુનું ઉપાદાન કારણ છે.
દ્રશ્ય જગતના સર્વ પદાર્થો તે પરમાણુ સમૂહની વિવિધ રચના છે. પરમાણુના વિવિધ ચેગિક પરિણામથી જ સમસ્ત પદાર્થ–સમૂહની ઉત્પત્તિ છે. વિવિધ પદાર્થોનું વિવિધ અવસ્થાન્તર થાય તે પણ તેમાં પુદ્ગલ તો શાશ્વત જ છે. એટલે પ્રથમ વિચારી ગયા એ પ્રમાણે મતિજ્ઞાનાદિન ક્ષ