________________
૧૨૯
વળે તેવાં અવયવ અસ્થિર કહેવાય છે અને જેમાં સ્થિરતા– નરપણું હાય તે સ્થિર કહેવાય છે. હાડકાં દાંત વગેરે સ્થિર જ જોઈએ, અને હાથ, પગ, આંખ, જીદ્દા વગેરે અસ્થિર જોઈ એ, અવયવેામાં આવા સ્થિરતા અને અસ્થિરતા રૂપ પરિણામ ઉત્પન્ન કરનાર તે અનુક્રમે સ્થિર નામક અને અસ્થિર નામક છે.
અંગેાપાંગની રચનારૂપ પરિણામનું નિયામક ગાપાંગ નામકેમ આગળ દર્શાવ્યું છે. પરંતુ તે અંગોપાંગમાં કેટલાંક અવયવે, જેવાં કે હાથ, મસ્તક વિગેરે મનુષ્યાદિકના શરીરની નાભિથી ઉપલા ભાગનાં અવયવ શુભ ગણાય છે. અને પગ વગેરે શરીરના નીચેના ભાગનાં અવયવે અશુભ ગણાય. છે. જે અવયવાના સ્પર્શ અને દૃશ્ય અન્યને રૂચિકર લાગે તે અવયવ શુભ છે, અને અન્યને અરૂચિકર લાગે તે અશુભ છે. કોઈ ને પગ અડકે છે તે અરૂચિકર લાગે છે, અને મસ્તક કે હાથ અડકે છે, તે રૂચિકર લાગે છે. વડીલ કે પૂજ્ય ગણાતી વ્યક્તિના સત્કાર, શુભ ગણાતાં અવયાના સ્પર્શ કરવા વડે જ ગણાય છે. તેમના ચરણમાં શિર સૂકાવાય, બે હાથ જોડવાવડે નમસ્કાર કરાય, તે સત્કારપાત્ર ગણાય છે. આ પ્રમાણે રૂચિ અને અરૂચિપત્રુ` પેદા કરવાના હિસાબે જ તે અવયવેામાં શુભાશુભપણ છે. કેટલીક વખત મેહની ઉત્કટતાને લીધે અન્યનાં અશુભ કહેવાતા અંગાના સ્પેશ પણ કેટલાકને ગમે, તે તેમાં શુભતા ન ગણતાં, સ્પર્શી અનુભવનાર વ્યક્તિની માઠુની ઉત્કૃષ્ટતા જ સમજવી.
જે ટ